SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ શ્વત ઉપાસક રમણભાઈ ૨૭૩ તો હું જ્યારે જ્યારે પણ વ્યાખ્યાન આપવા ગયો ત્યારે એમ માનીને જ ગયો કે હું કંઈક શીખવા જઈ રહ્યો છું. અને મુરબ્બી રમણભાઈનો સ્નેહ અને તારાબેનનું વાત્સલ્ય મને સતત પ્રેરણા આપતા રહ્યા અને હું અધ્યયન માટે વધારે રૂચિ લેવા માંડ્યો. આ પ્રવચનોના સંગ્રહરૂપે મારાં ત્રણ પુસ્તકો પણ પ્રકાશિત થયાં. શ્રી રમણભાઈ શાહ પોતાના જ્ઞાનની ગંગા યુરોપ અને અમેરિકા ખંડમાં પ્રવાહિત કરી ચૂક્યા હતા. તેઓ એટલા તો નિખાલસ હતા કે બીજા મિત્રો પણ જાય તેમાં તેઓ આનંદનો અનુભવ કરતા અને તેમની પ્રેરણા અને સહયોગથી મને ૧૯૮૯-૯૦ માં લંડન, ૧૯૯૨માં પૂર્વ આફ્રિકા અને પછી ૧૯૯૪ થી સતત અમેરિકામાં પ્રવચન આપવાનો લાભ મળતો રહ્યો. દર વર્ષે જ્યારે હું પાછો ફરે ત્યારે રમણભાઇનો આશીર્વાદ નિરંતર મળે જ. મેં જ્યારે “તીર્થ કરવાણી” માસિક પત્રનો પ્રારંભ કર્યો અને જ્યારે મેં ઘોષણા કરી કે આ પત્રિકા જૈનોના સંપ્રદાયોની સંકુચિતતાથી મુક્ત રહેશે અને તેમાં હિન્દી-ગુજરાતી-અંગ્રેજી ત્રણેય ભાષાઓના લેખોનો સમાવેશ કરવામાં આવશે ત્યારે તેઓ એ વર્તમાન યુગમાં જૈન પત્રિકાઓની સ્થિતિ ઉપર ચર્ચા કરી અને પરિસ્થિતિથી વાકેફ કર્યો અને સફળતાના આશીર્વાદ પણ આપ્યા. તેઓએ કહ્યું “મારા ગમે તે લેખને તમે મારી કોઇપણ અનુમતિ વગર પ્રકાશિત કરવા સ્વતંત્ર છો.' અને વાસ્તવમાં તેઓ આ પત્રિકાની પ્રગતિથી, તેના લેખોથી સંતુષ્ટ રહ્યા અને તેઓ પ્રત્યક્ષ કે પરોક્ષ આશીર્વાદ સ્વરૂપે તેમના સૂચનો આપતા રહ્યા. મેં જ્યારે અમદાવાદમાં “સમન્વય ધ્યાન સાધના કેન્દ્ર દ્વારા શ્રી આશાપુરામાં જેન ચેરિટેબલ હૉસ્પિટલનો પ્રારંભ કર્યો અને તેનું સાહિત્ય, રૂપરેખા, કાર્ય વગેરેની જાણ કરી ત્યારે તેઓએ મને આશીર્વાદ તો આપ્યા પણ આર્થિક મુશ્કેલીઓ કેવી નડી શકે તેનો પણ ખ્યાલ આપ્યો. મને દાનવીરો પાસેથી દાન પ્રાપ્ત થાય તેમાં તેમની રૂચિ હતી. છ-સાત વર્ષ દરમ્યાન મેં હોસ્પિટલની જે પ્રગતિ કરી તેનો અહેવાલ વાંચીને તેઓએ એવો તો સંતોષ વ્યક્ત કર્યો જાણે એમના સ્વજનને કોઈ સફળતા મળી હોય. છેલ્લે-છેલ્લે તેઓની ભાવના હતી કે મુંબઈ જેન યુવક સંઘ જેમ દર વર્ષે કોઈ ને કોઈ સેવાભાવી સંસ્થા માટે આર્થિક મદદ કરે છે તેમ આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002035
Book TitleShruta Upasak Ramanbhai C Shah
Original Sutra AuthorN/A
AuthorKanti Patel
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages600
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy