SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૨ ૪૫ પુનઃ પ્રગટશે. આમ જેના દર્શન પરત્વેની એમની શ્રદ્ધા એમની સઘળીયે પ્રવૃત્તિઓમાં પાયાગત હતી. એમને મન વિશેષ મહિમા “જેન'નો નહીં, “જૈનત્વ' (જિનવાણી-જિનાજ્ઞા)નો હતો. પ્રવાસ-લેખક અને યુનિ. પ્રાધ્યાપક તરીકે તો ઘણા સમયથી રમણભાઈના નામથી હું પરિચિત હતો પણ સૌપ્રથમ વાર એમનો પ્રત્યક્ષ પરિચય થયો ૧૯૮૭ના નવેમ્બરમાં પાલિતાણા ખાતેના નવમા જૈન સાહિત્ય સમારોહમાં. પ્રા. જયંત કોઠારીની ભલામણથી આ સમારોહમાં નિબંધ વાંચન માટેનું સૌપ્રથમ નિમંત્રણ મને મળેલું ત્યાં રમણભાઈને મેં જે રીતે સમારોહનું સફળ સંચાલન કરતાં, ગુરુભગવંતો પ્રત્યેનો વિનય જાળવતા, સૌની સાથે હળતા-ભળતા અને સુશ્રાવક તરીકેની સઘળીયે આવશ્યક ક્રિયાઓ કરતા જોયા તેનાથી હું પ્રભાવિત થયો. એમના વ્યક્તિત્વમાં રહેલી જુતા, નિખાલસતા, નિર્મળતા અને નિરાડંબરતા સૌને અચૂક સ્પર્શી જતી. રમણભાઈ સૌના આદરપાત્ર કેમ રહ્યા છે તે સમારોહની પહેલી ઝલકમાં જ મને પ્રતીત થયું. આ સમારોહમાં મેં રજૂ કરેલો “દ. દેશાઈકૃત સામાયિક સૂત્ર” નિબંધ રમણભાઈએ ખૂબ જ સદ્દભાવપૂર્વક “પ્રબુદ્ધ જીવનમાં પ્રકાશિત કર્યો અને એ રીતે અમારી વચ્ચે બંધાયેલો નાતો ઉત્તરોત્તર ઘનિષ્ઠ બનતો ગયો. પછી તો કેટલાક અપવાદ સિવાય રમણભાઈના સંયોજન હેઠળ યોજાતા જૈન સાહિત્ય સમારોહમાં જવાનું બનતું. સમારોહમાં આવેલા સૌને રમણભાઈ સ્વજનની જેમ મળે, ખબરઅંતર પૂછે, કોઈને કશી અગવડ ન પડે એની કાળજી રાખે. રમણભાઈની ઉપસ્થિતિથી સર્જાતું આભામંડળ સૌનાં હૃદયોને વીંટળાઈ વળતું. સાહિત્યજગત રમણભાઈને પ્રવાસ-લેખક તરીકે વધારે ઓળખે છે, પણ એમનું પ્રવાસસાહિત્ય કેવળ સમયાનુક્રમે થયેલા પ્રવાસનું વર્ણન ન રહેતાં જુદાજુદા પ્રવાસો દરમિયાન જુદે જુદે સમયે રમણભાઈએ અનુભવેલાં હૃદયસ્પર્શી પ્રસંગોઘટનાઓ કે ભાતીગળ માનવવ્યક્તિત્વોના નિરૂપણને લઈને અલગ તરી આવે છે. પ્રકૃતિ અને સંસ્કૃતિ-દર્શનની સાથે “મનુજતાને કેન્દ્રમાં રાખવાનું તેઓ વીસર્યા નથી. “પ્રબુદ્ધ જીવનના દરેક અંકમાં પહેલો લેખ અચૂકપણે રમણભાઈનો હોય જ. આગમસૂત્ર કે સૂત્રખંડથી લેખનું મથાળું બાંધે અને પછી એમાંના દાર્શનિક વિષયની ઘણાબધા ધર્મગ્રંથોમાંથી અવતરણો ટાંકીને છણાવટ કરે. સાંપ્રત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002035
Book TitleShruta Upasak Ramanbhai C Shah
Original Sutra AuthorN/A
AuthorKanti Patel
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages600
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy