SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ શ્રુત ઉપાસક રમણભાઈ ધર્મ-આરાધનાના અવલંબને શમાવવા નિવેદન છે. આદરણીય ‘સર’નો આત્મા વીતરાગધર્મનું અનુસંધાન પામી સતુદેવ-ગુરુના શરણે શીવ્રતાએ સિદ્ધપદ લહે એ જ પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના. આ ખેદજનક પ્રસંગે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુર પરિવાર પોતાના લાડીલા વડીલને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પે છે. પ્રણેતા - શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુર અનાદિસિદ્ધ શાશ્વત નવકારમંત્રમાં પંચ પરમેષ્ઠિને નમસ્કાર કરવામાં આવ્યા છે. એ પંચ પરમેષ્ઠિ તે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. ‘નમો લોએ સવ્વસાહૂણં” એમ પાંચમું પદ બોલીને આપણે પાંચમા પરમેષ્ઠિ સાધુ ભગવંતોને નમસ્કાર કરીએ છીએ. નવકારમંત્રના નવ ૫દમાં આ પાંચમું પદ છે એટલે તે બરાબર વચ્ચે આવે છે, અર્થાત્ એ કેન્દ્રસ્થાને છે. એની એક બાજુ ચાર પદ અને બીજી બાજુ પણ ચાર પદ . વળી નવપદની આરાધનમાં પણ તે કેન્દ્રસ્થાને છે. એ પદ પછી દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપને નમસ્કાર કરાય છે. સાધુ-પદ કેન્દ્રસ્થાને છે એનો અર્થ એ થયો કે એ સૌથી મહત્ત્વનું પદ છે, કારણકે સાધુ થયા વિના ઉપાધ્યાય થવાય નહિ, આચાર્ય થવાય નહિ, અરિહંત પણ થવાય નહિ અને સિદ્ધ પરમાત્મા પણ થઈ શકાય નહિ. આ પાંચમું પદ જ પંચમ ગતિ અપાવનારું છે. જેના ધર્મનો સાર, ચૌદ પૂર્વનો સાર નવકારમંત્ર છે અને નવકાર મંત્રમાં કેન્દ્રસ્થાને સાધુપદ, સાધુત્વ છે. એક દિશામાં સંસાર છે અને એનાથી વિપરીત બીજી દિશામાં મોક્ષમાર્ગ છે. એ તરફ જવું હોય તો પ્રથમ પગલું સાધુત્વથી મંડાય છે. આનંદઘનજીએ કહ્યું છેઃ સયલ સંસારી ઈન્દ્રિયરામી, મુનિગણ આતમરામી રે. || રમણલાલ ચી. શાહ (‘જિનતત્ત્વ-ભાગ-૮'માંથી) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002035
Book TitleShruta Upasak Ramanbhai C Shah
Original Sutra AuthorN/A
AuthorKanti Patel
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages600
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy