SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ જાય છે. એમાં દર્દીની સ્થિતિ સાધારણ હોય તો એનો આર્થિક બોજો વધી જાય છે. ધનલાલસા કોને ન હોય ? દાક્તરોને હોય તેમાં ખોટું શું છે ? આવી દલીલ પણ થાય છે. એ સાચી છે. પણ વ્યવસાયની નિષ્ઠા નીકળી જાય છે ત્યારે એ ખટકે છે. પેલો જાણીતો ટુચકો છે : એક દાક્તરે પોતાના દીકરાને ભણાવીને દાક્તર બનાવ્યો. દીકરો ઘણો તેજસ્વી અને ઉત્સાહી હતો પણ હજુ એણે પોતાના વ્યવસાયનો બહુ અનુભવ લીધો નહોતો. એક દિવસ એણે પોતાના પિતાને કહ્યું, “પપ્પા, જે દર્દીનો રોગ તમે વીસ વર્ષમાં મટાડી ન શક્યા તે મેં એક અઠવાડિયામાં મટાડ્યો.' દાક્તર પિતાએ કહ્યું, “બેટા, અઠવાડિયામાં મટાડતાં તો મને પણ આવડતું હતું, પણ મેં એ શ્રીમંત માણસનો રોગ તરત મટાડ્યો હોત તો તું દાક્તર ન થયો હોત. એની ફીમાંથી જ તને ભણાવ્યો અને દાક્તર બનાવ્યો છે.” એક દાક્તરને પૂછવામાં આવ્યું કે, “દર્દીને તપાસતાં પહેલાં એ ભોજનમાં શું શું લે છે એ જાણવાનો આગ્રહ તમે કેમ રાખો છો ?' દાક્તરે કહ્યું, “એ પૂછવાથી એના રોગનું કારણ કદાચ જડી આવે, પણ ખાસ તો મારે બિલ કેટલું બનાવવું એની મને સમજ પડે છે.” ઉત્તમ વૈદ્ય અને નિકૃષ્ટ વૈદ્ય ભારતમાં જ નહિ, દુનિયામાં સર્વત્ર રહેલા છે. આ એક એવો વ્યવસાય છે કે જેમાં ધનપ્રાપ્તિ માટે મન લલચાય અને દર્દી તથા એનો સ્વજનોની સ્થિતિ એવી લાચારી ભરી હોય કે વૈદ્યને પ્રસન્ન કરવા તેઓ તૈયાર હોય કે જેથી દર્દીની જિંદગી બચી જાય. આ વ્યવસાયમાં કેટલાયે ખોટા માણસો ભરાઈ જાય છે. જેને ઊંટવૈદ્ય અથવા Quack Doctor કહેવામાં આવે છે. આવા દાક્તરોને શાસ્ત્રકારોએ યમસહોદર' કહ્યા છે, પરંતુ યમરાજા તો સારા કે ફક્ત પ્રાણ હરી લે છે, પરંતુ વૈદ્ય તો પ્રાણ અને ધન બંને હરી લે છે. यमस्तु हरति प्राणाम्, वैद्यः प्राण-धनानि च । વારંવાર દર્દીના જીવનનો અંત આવતો પોતાને નજર સમક્ષ જોવા મળતો હોવાથી કેટલાક દાક્તરોમાં જેમ મૃત્યુ અંગે સ્વસ્થતા આવી જાય છે, તેમ કેટલાકમાં તે અંગે જડતા કે નિષ્ફરતા પણ આવી જાય છે. દાક્તરને એની ખબર હોય કે ન હોય, દાક્તર પોતે એ વિશે સભાન ન હોય તો પણ મરનાર દર્દીઓનાં સગાસંબંધીઓને એની ગંધ આવી જાય છે. ૨પર એક સાંપ્રત સમાજ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002034
Book TitleSamprat Samaj Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Culture, & Social
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy