SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ હુકમ એટલે લશ્કરી હુકમ. એમાં એક દિવસનું મોડું પણ ન ચાલે. એમાં કોઈ બહાનાં કાઢી ન શકાય. કર્નલ સાઈતોને હુકમ મળતાં જ યુદ્ધકેદીઓને અને વેઠ-મજૂરોને કામે લગાડી દીધા. રેલવેલાઇન તૈયાર કરવાનું કામ યુદ્ધના ધોરણે' ચાલવા લાગ્યું. એમાં કપરું કાર્ય હતું વચ્ચે આવતી કવાઈ નદી ઉપર પુલ બાંધવાનું. યુદ્ધકેદીઓમાં મુખ્યત્વે સિયામી હતા, તદુપરાંત અંગ્રેજો પોતાની સાથે લઈ ગયેલા બર્મી અને ભારતીય સૈનિકો પણ હતા. કેટલાક અંગ્રેજ યુદ્ધકેદીઓ પણ હતા. આ બધા યુદ્ધકેદીઓના અધિપતિ હતા એક બ્રિટિશ કર્નલ નિકોલસન. બધા યુદ્ધ કેદીઓ કામે લાગી ગયા, પરંતુ કર્નલ નિકોલસને કર્નલ સાઈતોને કહ્યું, “હું કર્નલ છું. સેનાધિપતિ છું. જીનિવાકરાર પ્રમાણે હું દેખરેખ રાખીશ, પણ શારીરિક મજૂરી નહિ કરું.” સાઇતોએ કહ્યું, “જીનિવાકરાર રહ્યા તમારે ઘરે. અહીં તો તમે મારા યુદ્ધ કેદી છો અને મારા હુકમ પ્રમાણે કામ કરવું પડશે. તમારે શારીરિક મજૂરી નથી કરવી ? તો ઊભા રહો ત્યાં તડકામાં પતરાની કૅબિનમાં આખો દિવસ.” ઠંડા પ્રદેશમાંથી આવતા ગોરી ચામડીવાળા બ્રિટિશ કર્નલને માટે મજૂરી કરતાં પણ તડકામાં ઊભા રહેવાની સજા વધુ ભારે હતી. તેઓ પરસેવે રેબઝેબ થવા લાગ્યા. વળી તેમને વિચાર આવ્યો કે પોતે જો વિદ્રોહ કરશે તો પોતાના ઘણા સૈનિકો વગર વાંકે વહેલા મોતને ભેટશે. સત્તા આગળ શાણપણ બહુ ચાલે નહિ. તેઓ ઢીલા પડ્યા. બીજી બાજુ સાઈતોને વિચાર આવ્યો કે યુદ્ધકેદીઓનો જો સહકાર નહિ મળે તો પોતે નિર્ધારિત સમયમાં રેલવેલાઈન અને ક્વાઈનો પુલ બાંધી નહિ શકે. જો એમ થશે તો પોતાને ઉપરી અધિપતિ આગળ મોઢું બતાવવા જેવું નહિ રહે. જાપાની રિવાજ પ્રમાણે પોતાને હારાકીરી' (આપઘાત) કરવાનો વખત આવશે. એટલે તેઓ પણ થોડા ઢીલા પડ્યા. આમ છેવટે સમાધાન થયું અને પુલ બાંધવાનું કામ બમણા જોરથી ચાલવા લાગ્યું. એથી નિર્ધારિત સમયે પુલ બંધાઈ ગયો અને એના પરથી ટ્રેન પસાર થઈ. બ્રિટિશ કર્નલનો છૂટો પડેલો એક સાથીદાર, નદીના પાણીમાં ઝંપલાવી, ઘસડાઈને બર્મા બાજુના કોઈક ગામે પહોંચી ગયો હતો. ત્યાં તેણે ગેરીલા યુદ્ધ કરીને બંધાતા પુલને વિસ્ફોટક પદાર્થ વડે ઉડાવી દેવાનું કાવતરું ગોઠવ્યું, પરંતુ તેણે આવીને જ્યારે જોયું કે બ્રિટિશ કર્નલ જાપાની કર્નલને સહકાર આપ્યો છે ત્યારે તેણે કાવતરું કરવાનું માંડી વાળ્યું. આમ એ ચલચિત્રની આછીપાતળી કથારેખાને યાદ કરતા અમે ૨૨ = પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy