SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ જાપાને યુદ્ધમાં ઘણા ભયંકર અત્યાચારો કર્યા હતા. જાપાને કરેલા અત્યાચારોમાંનો એક તે પોતાની આગેકૂચ કરવા માટે યુદ્ધકેદીઓ અને વેઠ- મજૂરો પાસે સિયામથી બર્મા-મ્યાનમાર (બ્રહ્મદેશ) સુધીની બંધાવેલી રેલવેલાઈનનો હતો, જેમાં ઓછું ખાવાનું તથા સખત મજૂરી અને મારને કારણે રેલવે પૂરી બંધાતા સુધીમાં બે લાખથી વધુ માણસો મૃત્યુ પામ્યા હતા. આ રેલવે-લાઈનમાં મહત્ત્વનું એક અઘરું કાર્ય તે વચ્ચે આવતી કવાઈ નદી ઉપર પુલ બાંધવાનું હતું. - બેંગકોક છોડી અમારી ટૅક્સી થાઇલેન્ડની વાયવ્ય દિશામાં કાંચનાબુર (કાંચનપુર) તરફ જવા ઊપડી. જેમ જેમ અમે આગળ વધતા ગયા તેમ તેમ ડાંગરનાં ખેતરો ઓછો થતાં ગયાં અને જંગલની ગીચ હરિયાળી . ઝાડી વધતી ગઈ. વચ્ચે નાનાં નાનાં છૂટાંછવાયાં ગામડાં આવતાં ગયાં. ભારતમાં ગોવા કે કેરળના ગ્રામવિસ્તારોમાંથી પસાર થતાં જેવાં દૃશ્યો જોવા મળે તેવાં દૃશ્યો અહીં જોવા મળ્યાં. ક્યાંક હાથીઓ પણ દેખાયા. બ્રહ્મદેશની સરહદ તરફ જતા આ રસ્તા પર આવેલાં ગામડાંઓના લોકોને જોઈએ તો તેઓ દેખાવે બર્મી જેવા જ લાગે. આ બાજુ ઉત્તરે “મોન” નામની જાતિના લોકો વસે છે. તેઓની ભાષા બર્મી અને સિયામીની મિશ્ર જેવી લાગે. કવાઈ નદી સુધીનો રસ્તો ચારેક કલાકનો હતો. અમે બીજા વિશ્વયુદ્ધના દિવસોમાં છાપાંઓમાં આવતા અહેવાલોને અને The Bridge on the River kwai ચલચિત્રનાં દૃશ્યોને સ્મૃતિપટ પર તાજાં કરવા લાગ્યા યાદ રહી જાય એવું સરસ એ ચલચિત્ર હતું. એમાં બતાવ્યા પ્રમાણે જાપાને સિયાંમમાં હજારો સૈનિકોને કેદ કર્યા છે. ઠેર ઠેર યુદ્ધકેદીઓની છાવણીઓ સ્થપાઈ ગઈ છે. યુદ્ધ કેદીઓને ખવડાવવાની જવાબદારી વિજયી સેનાધિપતિની હોય છે. બીજી બાજુ તે સૈનિકો પાસે સખત મજૂરી પણ કરાવી શકે છે. સિયામ પર કબજો જમાવ્યા પછી જાપાન બ્રહ્મદેશ તરફ આગેકૂચ કરવા ઇચ્છે છે, પરંતુ એ જંગલનો વિસ્તાર છે. એમાં કૂચ કરીને જવાનું સૈનિકો માટે સરળ નથી. જો રેલવેલાઈન નખાય તો હજારો સૈનિકો પાંચછ કલાકમાં ત્યાં પહોંચી જઈ શકે. આ પ્રદેશની જેમને જવાબદારી સોંપવામાં આવી છે તે જાપાની સેનાધિપતિ કર્નલ સાઈતોને ઉપરી સત્તાવાળાઓ તરફથી હુકમ થાય છે કે “બર્મા તરફ આગેકૂચ કરવા માટે યુદ્ધકેદીઓને મજૂરો તરીકે તરત કામે લગાડી દો અને બેંગકોકથી રંગૂન સુધીની આશરે પાંચસો કિલોમીટરની રેલવેલાઈન નિર્ધારિત સમયમાં પૂરી કરી દો.” લશ્કરી કવાઈ નદીના કિનારે એક ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy