SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ખોલી હતી ? અમે સવારે કેળાં અને બીજું ખાવાનું મૂકીને ગયાં હતાં તે કોઈ લઈ ગયું છે.' “બહેન, રૂમ તો કોઈએ ખોલી નહિ હોય, પણ તમે બારી કે બાલ્કનીનું બારણું ખુલ્લું રાખ્યું હતું ?' “ખબર નથી.' જરૂ૨ ખુલ્લું રહી ગયું હશે. વાંદરાઓ તમારું ખાવાનું ઉપાડી ગયા હશે. અહીં વાંદરાઓનો ત્રાસ છે. એ માટે દરેક રૂમમાં અમે સૂચના મૂકી જ છે.' પછીથી ખબર પડી કે પોતાનું ખાવાનું ગયાનો અનુભવ બીજા ત્રણ જણને પણ થયો હતો. વાંદરાઓ આવું બંધુ કૃત્ય પક્ષપાતરહિતપણે કરતા હોય છે. વિક્ટોરિયા ધોધનું ભવ્ય દર્શન એ જિંદગીનો એક લહાવો છે. અમે ૨૧ સપ્ટેમ્બર, ૨૦૦૦ના રોજ ધોધનાં દર્શન કર્યા. એ દિવસ અમને વધારે યાદ એટલા માટે રહી ગયો છે કે તે દિવસે રાત્રે મુંબઈમાં, નખમાંયે રોગ વગરના, લાકડીના ટેકા વગર ચાલનારા, પોતાનું બધું કાર્ય જાતે કરી લેનારા ૧૦૪ વર્ષની ઉંમરના મારા પિતાશ્રીએ ઊંઘમાં સમાધિપૂર્વક દેહ છોડ્યો એના સમાચાર આપવા સ્વજનોએ ફોન કર્યો હતો. પિતાશ્રીનું જીવન પણ ધોધ જેવું ભવ્ય હતું. (પાસપોર્ટની પાંખે-૩). વિક્ટોરિયા ધોધ - ૨૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy