SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ભયંકર જોખમો ઓછાં નથી. હવે તો આખું સહરાનું રણ ખૂંદાઈ ગયું છે. બીજા વિશ્વયુદ્ધ વખતે સહરાના રણમાં પણ યુદ્ધ ખેલાયું હતું. હેલિકૉપ્ટરની સગવડ પછી તો આવડા મોટા રણમાં પણ કોઈ જગ્યા વણશોધી, વણમાપી રહી નથી. પાંચ હજાર કિલોમીટર લાંબા સહરાના રણમાં અમારે તો ફક્ત બસો વીસ કિલોમીટરનું અંતર રણના એક ખૂણામાં એક છેડાથી બીજા છેડા સુધીનું કાપવાનું હતું. સહરાના રણમાંથી પસાર થવું એટલો અનુભવ પણ અમારા માટે રોમાંચક હતો. રસ્તો નાકની દાંડીએ સીધો ચાલ્યો જતો હતો. આવા નિર્જન રણવિસ્તારમાં રસ્તો કરવાનો હોય તો તેને વળાંક આપવાની જરૂર ઊભી ન થાય. એટલે બસ તો પાણીના રેલાની જેમ સીધી સડસડાટ ચાલી જતી હતી. રસ્તાની બંને બાજુ કરેલી વાડમાં રણપ્રદેશમાં ઊગી શકે એવી વનસ્પતિ વાવવામાં આવી હતી. થોર (Cactus)ના પ્રકારની વનસ્પતિને પાણી ખાસ ન જોઈએ. હવામાંથી જ તે ભેજ ગ્રહણ કરી લે અને સૂર્યપ્રકાશમાંથી પોષણ મેળવી લે. પાંદડાં વગરના માત્ર ડાંખળાવાળા નાના નાના છોડ પણ રસ્તાની બંને બાજુ વાવેલા હતા. ક્યાંક સાવ નાનાં નાનાં વૃક્ષો પણ હતાં. મોટાં ઘટાદાર વૃક્ષોનું તો રણમાં ક્યાંય નામનિશાન જોવા ન મળે. અમારી ગાઇડે કહ્યું કે ‘આ રણપ્રદેશને ખીલવવા અમારી સરકાર તરફથી એવી યોજના કરવામાં આવી છે કે જેને જમીન જોઈતી હોય તેને નજીવા ભાવે તે આપવામાં આવે. વળી દસ વર્ષના હપ્તે તે રકમ ભરવાની રહે. પણ શરત એટલી કે તે લેનારે જમીનમાં ખેતીવાડી કરવી જોઈએ. ખાસ તો દ્રાક્ષ, ખજૂર વગેરે રણમાં થાય તેવી વનસ્પતિ ઉગાડી શકાય. દર વર્ષે તેની પ્રગતિનું સરકારી વહીવટીતંત્ર નિરીક્ષણ કરે છે. નાઈલ નદીમાંથી નહેર દ્વારા અહીં પાણી લાવી શકાય છે. અથવા અમુક ફળદ્રુપ વિસ્તારમાં ટ્યૂબવેલ દ્વારા પણ પાણી મેળવી શકાય છે. તેમ છતાં તમે જોઈ શકશો કે બહુ ઓછા લોકો રણમાં આવ્યાં છે. વળી આ પ્રદેશમાં જેઓ કારખાનાં કરવા ઇચ્છે તેઓને પણ સસ્તા દરે જમીન આપવામાં આવે છે. તેઓને માટે એવી શરત છે કે જો તેઓ કારખાનાના વિસ્તારમાં કામદારો માટે એક મસ્જિદ બાંધે તો તેઓને કરવેરામાંથી મુક્તિ આપવામાં આવે. કોઈ કોઈ સ્થળે તમને બે મસ્જિદો સાવ પાસે પાસે જોવા મળે તો એમ ન સમજવું કે અમારા લોકો બહુ ધાર્મિક થઈ ગયા છે, પણ ૨૦૦ * પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy