SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ સપાટ કરવામાં આવી હોય અથવા એના ઉપર કંઈક શિલ્પકામ, કોતરકામ થયું હોય એમ જણાતું નથી. કાળનો ઘસારો એને જરૂર લાગ્યો હશે, તો પણ શિલ્પાદિના કોઈ અણસાર તેમાં જોવા મળતા નથી. પુરાતત્ત્વવિદો આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિથી આ પથ્થરોની પ્રાચીનતા વિશે સંશોધન કરીને જણાવે છે કે સ્ટોનહેન્જનું આ બાંધકામ સહેજે પાંચથી છ હજાર વર્ષ જેટલું પ્રાચીન છે. કદાચ એમાં થોડા સૈકા વધારે કે ઓછા હોઈ શકે. આ બાંધકામમાં જુદા જુદા તબક્કે જીર્ણોદ્ધાર કે વૃદ્ધિ પણ કદાચ થયાં હોય. યુરોપમાં ગ્રીસ અને રોમની સંસ્કૃતિ ત્રણ હજાર વર્ષ જેટલી પ્રાચીન મનાય છે, પણ સ્ટોનહેન્જની સંસ્કૃતિ તો એથી પણ ઘણી બધી પ્રાચીન હશે એ નિશ્ચિત છે. કદાચ વેદકાલીન ભારતીય સંસ્કૃતિની સમકાલીન આ સંસ્કૃતિ હશે. પાષાણયુગની સ્ટોનહેન્જની સંસ્કૃતિ વિશે આધારભૂત માહિતી આપણને ખાસ મળતી નથી, પણ સંશોધકોએ સંશોધન કરી પોતાનાં તારણો જે આપ્યાં છે તે પરથી મનાય છે કે તે કાળની પ્રજા પાસે પોતાની પરંપરાનું વિશિષ્ટ જ્ઞાન હશે, પોતાની ઇજનેરી વિદ્યા હશે અને તેઓ સારી શારીરિક શક્તિ ધરાવતા હશે, અહીં વપરાયેલા રેતાળ પથ્થરો અને ભૂરા-ભૂખરા પથ્થરો તેઓ આસપાસથી લાવ્યા હશે. કેટલાક પથ્થરો દોઢસો-બસો માઈલ દૂરના ડુંગરાઓમાંથી ઘસડી લાવ્યા હશે. કેટલાક પથ્થરો દોઢસો-બસો માઈલ દૂરના ડુંગરાઓમાંથી ઘસડી લાવ્યા હશે, જે માટે તેમની પાસે ઘણી સારી શારીરિક તાકાત હશે. એ લાવવામાં તેઓને કેટલો શ્રમ પડ્યો હશે, કેટલા દિવસ લાગ્યા હશે, કેટલા માણસો કામે લગાડ્યા હશે એનો કોઈ આધારભૂત અંદાજ મળતો નથી. એટલું નક્કી છે કે ઊભી શિલાઓ ઉપર આટલી ભારે શિલાઓ ચડાવવા માટે તેમની પાસે કોઈ પદ્ધતિ હશે. એ પ્રજા રખડુ હશે. એને ખેતી નહિ આવડતી હોય. વનસ્પતિ અને શિકાર પર તે નભતી હશે અને જ્યાં પાણી મળે તેની આસપાસ તે સ્થિર થતી રહેતી હશે. આ વિસ્તારમાં તે ઠીક ઠીક સમય સ્થિર રહી હશે. સ્ટોનહેન્જની આસપાસના કેટલાક માઈલના ' વિસ્તારમાં ખોદકામ કરતાં પ્રાગૈતિહાસિક કાળની વર્તુળના આકારની અને લંબચોરસ આકારની કબરો (Barrows) મોટી સંખ્યામાં મળી આવી છે. આ કબ્રસ્તાન પરથી અનુમાન થાય છે કે આ વિસ્તારમાં ઘણા માણસોનો વસવાટ એ કાળે થયો હશે. ઇંગ્લેન્ડની ધરતી પરનો વિકસિત વસવાટ તો ઇસવી સનના આરંભ પછીનો છે. તો પછી એની પહેલાં ત્રણથી ચાર હજાર વર્ષ પૂર્વે આ મંદિર સ્ટોનહેન્જ ૯ ૧૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy