SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્ધતિથી કાલગણના કરવામાં આવી છે. એ ઉપરથી જણાય છે કે સમરકંદ બારેક હજાર વર્ષ પહેલાંની પથ્થરયુગની નગરી હોવી જોઈએ. મધ્ય એશિયામાં રણવિસ્તારમાં આ જગ્યાએ નગર વસાવવાનું મુખ્ય કારણ તે એની ફળદ્રુપ જમીન છે. ઝારવશા નદીના ખીણપ્રદેશમાં આવેલું આ સ્થળ વૃક્ષો અને ગીચ વનરાજિથી હરિયાળું છે. અહીં પાણીની છૂટ છે. ખેતીની અનુકૂળતા છે. ઘેટાં, હરણ, ઊંટ, ઘોડા વગેરે પશુઓ અને જાતજાતનાં પક્ષીઓથી આ પ્રદેશ સભર છે. પરંતુ એ બધાં ઉપરાંત ચારે બાજુ ટેકરીઓ આવેલી હોવાથી કુદરતે જ જાણે એને વિશાળ કિલ્લા જેવી રચના કરી આપી છે. એટલે પ્રાચીન કાળની લશ્કરી ષ્ટિએ પણ આ સુરક્ષિત સ્થળ છે. ભૂમધ્ય સમુદ્રથી ઠેઠ ચીન સુધી જતા કાચા ધોરી માર્ગને જોડતું સમરકંદ મધ્ય એશિયાનું સંગમસ્થાન મનાતું હતું. સમરકંદનો એક અર્થ થાય છે મિલનસ્થાન. એનું પ્રાચીન નામ મરકંદ એ મરગંદ હતું. પછી સમરકંદ બન્યું. ઠેઠ પ્રાચીન કાળથી અત્યંત સમૃદ્ધ રહેલી આ નગરી ઉપર એલેક્ઝાન્ડર, ચંગીઝ ખાન અને તૈમુરલેન જેવા સમ્રાટોએ વિજય મેળવવાનો પ્રયાસ કર્યો હતો અને પોતાના સૈનિકોની ભારે ખુવારીના ભોગે પણ એના ઉપર કબજો મેળવ્યો હતો એ જ એની મહત્તા દર્શાવે છે. સમરકંદનો જૂનામાં જૂનો ઉલ્લેખ ઈ.સ. પૂર્વે ૩૨૯નો મળે છે. એલેક્ઝાન્ડર લાખો સૈનિકોને લઈને પંદર દિવસમાં હિંદુકુશ પર્વત ઓળંગીને સોડિયાના નામના પ્રદેશના સમરકંદ શહેર પર ચડી આવ્યો હતો. સ્થાનિક બહાદુર પ્રજાએ ભારે સામનો કર્યો હતો. ત્રણેક વર્ષ યુદ્ધ ચાલ્યું હતું. એક લાખ કરતાં વધુ સૈનિકો માર્યા ગયા હતા. છેવટે એલેકૂઝાન્ડરે સમ૨કંદ ઉપર વિજય મેળવ્યો હતો. ઘણાં વર્ષ સુધી મેસેડોનિયા બેક્ટ્રિયાના સામ્રાજ્યના એક ભાગ તરીકે રહ્યા પછી એલેક્ઝાન્ડરના મૃત્યુ બાદ સમરકંદ છૂટું પડ્યું અને સ્થાનિક રાજાના હાથમાં આવ્યું. ઈ.સ.ની પહેલી શતાબ્દીમાં તે કુશાન સામ્રાજ્યનો એક ભાગ બન્યું. આઠમા સૈકામાં આરબોએ એના પર ચડાઈ કરી અને જીત મેળવી. ત્યારથી સમરકંદ મુસ્લિમ સંસ્કૃતિનું એક મોટું કેન્દ્ર બન્યું. ત્યાર બાદ જુદા જુદા વંશના રાજાઓએ એના પર વખતોવખત રાજ કર્યું. ઈ.સ.ના તેરમા સૈકામાં મોંગોલ સમ્રાટ ક્રૂર ચેંગીઝ ખાને સમરકંદ ઉપર મોટી ચડાઈ કરી. એના સૈનિકોએ સમરકંદ ઉપર વિજય મેળવ્યો. બંને પક્ષે ઘણી મોટી ખુવારી થઈ એટલું જ નહિ, ચંગીઝ ખાનના સૈનિકોએ સમરકંદમાં સ્ત્રીઓ અને બાળકો સહિત તમામ માણસોને રહેંસી નાખ્યા. ૯૨ * પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy