________________
નલિનકાન્ત : એમ? બિપિનચંદ્ર ઃ હા; અને લાલચંદ શેઠ શા કારણે ગુજરી ગયા એ તો તમે જાણો
છો ને ? પ્રભુતા : અમિતા યશવંત સાથે નાસી ગઈ એનો આઘાત લાગવાથી. બિપિનચંદ્ર : અને એ બંનેને નસાડનાર મોહનલાલ છે એ પણ તમે જાણ્યું
હશે. પ્રભુતા : ભાઈએ આવીને હમણાં એ જ વાત કરી. ખરેખર, અમે તો ખૂબ
પસ્તાયાં છીએ. બિપિનચંદ્ર : અને કંચન ન હોત તો તમારે હજુ વધારે પસ્તાવાનો વખત આવત
એની તમને ખબર છે? નલિનકાન્ત
પ્રભુતા : શું ? શું ? બિપિનચંદ્ર : થોડા દિવસ પહેલાં તમારા પર એક નનામો પત્ર આવ્યો હતો
ને ?
નલિનકાન્ત : હા..
પ્રભુતા : મોહનલાલને ઘેર ન જવા માટે જેમાં અમને લખ્યું હતું તે ? બિપિનચંદ્ર : હા. કચને જ એ લખાવ્યો હતો. કંચનને ખબર પડી ગઈ હતી
કે મોહનલાલે તમને બંનેને શા માટે બોલાવ્યાં હતાં. નલિનકાન્ત : શા માટે? બિપિનચંદ્ર તમને બંનેને જુદી જુદી રીતે સપડાવવાનું કાવતરું એણે કર્યું હતું,
ને મોહનલાલની નજર, પ્રભુતા, તમારા પર બગડી હતી! પ્રભુતા ઃ એમ? તો તો કંચને ખરેખર અમારા ઉપર મોટો ઉપકાર કર્યો! નલિનકાન્ત : ને તે પણ અમે તરછોડ્યા છતાં ! ખરેખર કંચન તે કંચન જ
છે. અમે એને તરછોડી એ મોટી ભૂલ કરી. બિપિનચંદ્ર એમ ખરેખર લાગે છે ? તો અત્યારે હું એ માટે જે આવ્યો છું.
તમને જો પશ્ચાત્તાપ થતો હોય તો હું કંચનને સોંપવા જ આવ્યો છું. કંચનનો ભવ ન બગડવા દેવા માટે તેને અપનાવવા હું તૈયાર થયો, એ ઉપકારના બોજા નીચે એ લગ્ન કરવા તૈયાર તો થઈ હતી, પણ હૃદયમાં તો તમારે માટે ઝંખના હતી; એટલે છેલ્લો નિર્ણય કરતાં પહેલાં હું પૂછવા આવ્યો છું. બોલો, સ્વીકારશો ને ?
શ્યામ રંગ સમીપે ૪૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org