SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ કે એમની પાસે દીક્ષા લેવાનો ઉમંગ એમના ગાઢ પરિચયમાં આવનારને થઈ આવતો. યુવાનવયે જ અમદાવાદના કોટ્યાધિપતિ શેઠ શ્રી શિંગલાલે તેમની પાસે દીક્ષા લીધી હતી. એ ઘટનાએ અનેક લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આવા તો બીજા અનેક પ્રસંગો છે. પોતાનાં સ્વજન ઘર છોડીને દીક્ષા લે એ ઘટના કોઈ પણ કુટુંબને વ્યવહારુ દષ્ટિએ ન ગમે એ દેખીતી વાત છે. પૂજ્ય શ્રી રામવિજયજી પાસે દિક્ષા લેનારાઓની સંખ્યા વધતી જતી હતી. એ સંજોગોમાં દિક્ષાવિરોધી વાતાવરણ પ્રસરે એ સ્વાભાવિક હતું. પોતાના પતિએ પૂ. રામવિજયજી પાસે દીક્ષા લીધી હતી, એના વિરોધમાં રતનબાઈ નામની એક મહિલાએ એક જાહેરસભામાં જઈને મારો પતિ મને પાછો આપો’ એમ કહીને રામવિજયજીનાં કપડાં ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઝઘડો કોર્ટ સુધી ગયો હતો અને કોર્ટે રામવિજયજીને નિર્દોષ જાહેર કર્યા હતા. શ્રી રામવિજયજી મહારાજને આવાં જુદાં જુદાં કારણોસર જુદે જુદે સ્થળે મળીને લગભગ ત્રીસેક જેટલી વાર કોર્ટમાં જુબાની આપવા જવાનું થયું હશે. પરંતુ તે દરેકમાં કોર્ટે પૂ. મહારાજશ્રીને નિર્દોષ જાહેર કર્યા હતા. સં. ૧૯૭૬નું ચાતુર્માસ એમણે અમદાવાદમાં વિદ્યાશાળામાં કર્યું હતું. આઝાદી પૂર્વેના એ દિવસો હતા. ચાનું વ્યસન લોકોમાં વધતું જતું હતું. એ વખતે ચાનો વિરોધ પણ સખત થતો હતો. એ જમાનામાં અમદાવાદમાં રીચીરોડ (ગાંધી માર્ગ પર આવેલી બે જાણીતી હોટેલોમાં આખો દિવસ ચા પીનારાનો ધસારો રહેતો. એમાં જેનોની સંખ્યા ઘણી મોટી હતી. સાથે અભક્ષ્ય પણ ખાવાનું. હોટેલમાં રોજનું સત્તર મણ દૂધ વપરાતું. એ વખતે રામવિજયજી મહારાજે એની સામે ઝુંબેશ ઉપાડી હતી. ઠેરઠેર પ્રવચનો કર્યા હતાં અને એ પ્રવચનોનો પ્રભાવ લોકો ઉપર એટલો બધો પડ્યો હતો કે હોટેલની ઘરાકી એકદમ ઘટી ગઈ અને રોજના સત્તર મણ દૂધને બદલે માત્ર બે-ત્રણ મણ જેટલું દૂધ વપરાવા લાગ્યું હતું. આજે તો ચાના વ્યસનનો કોઈ વિરોધ રહ્યો નથી. પણ એ જમાનામાં રામવિજયજી મહારાજની વાણીનો પ્રભાવ કેટલો બધો હતો તે આ ઘટના સૂચવે છે. એ જ વર્ષમાં પ્રાણી હિંસાની બીજી વિચિત્ર ઘટના પણ અમદાવાદમાં બની હતી. અમદાવાદમાં તે સમયે કૂતરાંઓનો ત્રાસ વધતો જતો હતો. એ ત્રાસમાંથી બચવું હોય તો કૂતરાંઓને મારી નાખવાં જોઈએ એવો એક વિચાર વહેતો થયો હતો. આવા વિચારને જૈન સમાજ સ્વીકારે જ નહિ. બલકે એનો સખત વિરોધ કરે એ દેખીતું છે. પરંતુ શરમજનક ઘટના તો એવી બની કે પાશ્ચાત્ય કેળવણી લીધેલા એક સુધારાવાદી નાસ્તિક શ્રીમંત જૈન ઉદ્યોગપતિએ લોકોની લાગણીને વધુ ૪) ક ચરિત્રદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy