SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ પરંતુ એક દિવસ દાનવિજયજી મહારાજની તબિયત સારી ન હતી, ત્યારે એમના ગુરુભગવંત વડીલ પંજાબી મહારાજ ઉપાધ્યાય શ્રી વીરવિજયજીએ નૂતન સાધુ પૂ. રામવિજયજીને વ્યાખ્યાન આપવા માટે ફરમાવ્યું, કારણ કે રામવિજયજીમાં એ શક્તિ એમણે નિહાળી હતી. પાટ ઉપર બિરાજી વ્યાખ્યાન આપવાનો રામવિજયજી માટે આ પહેલો જ પ્રસંગ હતો. પોતે ના પાડી છતાં ગુરુભગવંતની આજ્ઞા થતાં એ જવાબદારી એમણે સ્વીકારવી જ પડી. કયા વિષય ઉપર વ્યાખ્યાન આપવું એનો એમણે વિચાર કરી લીધો. સમક્તિના સડસઠ બોલની સઝાય પોતાને જે કંઠસ્થ હતી એના વિવેચનરૂપે એમણે સરસ વ્યાખ્યાન આપ્યું. ઉપાધ્યાયશ્રી વીરવિજયજીએ એ વ્યાખ્યાન સાંભળીને તે વખતે આગાહી કરી હતી કે રામવિજ્યજી ભવિષ્યમાં એક સમર્થ વ્યાખ્યાતા થશે અને પોતાના વિષયને તર્કબદ્ધ રીતે શ્રોતાઓ સમક્ષ રજૂ કરી શકશે. મુનિ શ્રી રામવિજયજીને દીક્ષાના પહેલા વર્ષે જ શરીરમાં થયેલા પિત્તપ્રકોપને કારણે દાહની અસહ્ય વેદના થઈ હતી. પરંતુ તે વખતે એમણે ચિત્તની પૂરી સમાધિ જાળવી હતી. ત્યાર પછી પણ પિત્તને કારણે જ્યારે જ્યારે એમને દાહ ઊપડતો ત્યારે ત્યારે તેઓ પૂરી સ્વસ્થતા ધારણ કરતા. શ્રી રામવિજયજી મહારાજે વિ. સં. ૧૯૭૦ તથા ૧૯૭૧નાં ચાતુર્માસ ગુરુમહારાજ સાથે ભાવનગરમાં કર્યો. તે દરમિયાન “કમ્મપયડીનો અભ્યાસ ગુરુભગવંત પાસે એમણે કર્યો હતો. ત્યાર પછી પોતાના ગુરુભગવંતો સાથે જ તેઓ વિહાર કરતા રહ્યા હતા. એમના વિદ્યાભ્યાસ માટે પ્રત્યેક ચાતુર્માસમાં પંડિતોની વ્યવસ્થા કરવામાં આવતી. એને પરિણામે એમનો શાસ્ત્રીય અભ્યાસ ઘણો ઊંડો થયો હતો. એમની બુદ્ધિશક્તિ ઘણી બધી ખીલી હતી. દીક્ષાના સાતમા વર્ષથી તેઓ સરસ વ્યાખ્યાન આપતા થઈ ગયા હતા. એટલી યુવાનવયે પણ એમના વ્યાખ્યાનનો પ્રભાવ શ્રોતાઓ ઉપર જબરદસ્ત પડતો, જે એમના જીવનના અંત પર્યન્ત રહ્યો હતો. - પૂજ્ય શ્રી રામવિજયજી મહારાજની વાણીનો પ્રભાવ શ્રોતાઓ ઉપર એટલો બધો પડતો કે તે સાંભળીને કેટલાકનાં હૃદયમાં ત્યાગ-વૈરાગ્યનો ભાવ ઊભરાઈ આવતો. કેટલાંકને દીક્ષા લેવાનું મન થતું. પૂ. શ્રી રામવિજયજીના અંગત સંપર્કમાં આવતી વ્યક્તિ ઉપર જાણે કે કોઈ પવિત્ર જાદુઈ અસર થતી અને એમની પાસે દીક્ષા લેવાનું મન થતું. પૂ. રામવિજયજી મહારાજનું પોતાનું ચરિત્ર ઊંચી કોટિનું હતું. એમનો શાસ્ત્રાભ્યાસ ઘણો ઊંડો હતો. એમની તર્કશક્તિ અને બીજાને સમજાવવાની શૈલી અદ્દભુત હતી. અને એમનો વાત્સલ્યભાવ એટલો છલકાઈ રહેતો શ્રી વિજયરામચન્દ્રસૂરિ મહારાજ - ૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy