SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ અમૃતલાલ બાપાએ પરિસ્થિતિની વાસ્તવિકતાનો સ્વીકાર કરી લીધો. સાદાઈ અને કરકસરભર્યું જીવન ચાલુ થઈ ગયું. જે જમાનામાં સાધારણ સ્થિતિના માણસો વરસે-બે વરસે પાદરાથી એકાદ વખત અમદાવાદ કોઈ પ્રસંગે જાય તે જમાનામાં એમના દીકરાઓ વેપાર અર્થે રોજેરોજ અમદાવાદ, ભરૂચ, અંકલેશ્વર સવારના જઈને સાંજે પાછા ફરતા હતા. પરંતુ આપત્તિ આવ્યા પછી સાત માઈલ દૂર વડોદરા જવાનું પણ સ્વપ્ન જેવું થઈ ગયું. એક બાજુ અનેક લોકોની સ્વાર્થી મનોવૃત્તિનો પરિચય થઈ ગયો તો બીજા કેટલાક એવા મિત્રો નીકળ્યા કે જેઓએ રોજ ઘરે આવીને બેસવાનો પોતાનો નિયમ છોડ્યો નહિ અને ઘણી હૂંફ આપ્યા કરી. જ્યારે આવી મોટી આર્થિક આપત્તિ આવી ગઈ ત્યારે અમૃતલાલ બાપાએ દીકરાઓને સલાહ આપી કે હવે તમે બધા ત્રીસ-ચાલીસની ઉંમરે પહોંચ્યા છો. અત્યાર સુધી તમે મોટા શેઠની જેમ ગામમાં રહ્યા છો. હવે કુટુંબનું ગુજરાન ચલાવવાનો પ્રશ્ન સૌથી ગંભીર છે. હું તો વૃદ્ધાવસ્થાએ પહોંચ્યો છું. પણ તમારી ચિંતા છે. આ ગામમાં રહીને તમે નાની-મોટી નોકરી કરશો કે હાટડી માંડશો તો તેમાં આબરૂ નહિ રહે. અનેકનાં મહેણાં-ટોણાંનો ભોગ બનશો. જીવન જીરવાશે નહિ. દેવયોગે જે પરિસ્થિતિ આવી પડી છે તેનો સ્વીકાર કરી લેજો. બહારગામ જઈ નોકરી-ધંધો કરજો, અનીતિ આચરતા નહિ અને સ્વમાનથી રહેજો.” વેપારધંધામાં મોટી નુકસાની આવી અને દેવાદાર થઈ ગયા પછી ડાહ્યાકાકાનું ચિત્ત અસ્વસ્થ રહ્યા કરતું હતું. વળી એમને પાંચ દીકરીઓ હતી, પણ દીકરો નહોતો અને પોતે વિધુર થઈ ગયા હતા. આ સંજોગોમાં એમની માનસિક વ્યગ્રતા વધી ગઈ હતી. અડસઠની ઉંમરે તેઓ પહોંચવા આવ્યા હતા. યુવાનીમાં ઘણી જાહોજલાલી અને ઠેરઠેર માનપાન જોયાં પછી પાછલાં થોડાં વર્ષોમાં પોતાના ઋણ તળે આવેલા માણસો, જ્ઞાતિબંધુઓ અને સગાંઓને વિમુખ થઈ ગયેલા જોઈને ડાહ્યાકાકાને જીવતર ખારું ઝેર જેવું લાગવા માંડ્યું હતું. પરિણામે માનસિક સમતુલા ગુમાવી એમણે કૂવામાં પડતું મૂકી આપઘાત કરવા પ્રયત્ન કરેલો. પરંતુ જેવી ખબર પડી કે તરત બેત્રણ બાહોશ માણસોએ કૂવામાં ઊતરી એમને બચાવી લીધા હતા. ડાહ્યાકાકા થોડો વખત સ્વસ્થ રહ્યા હતા. પરંતુ કેટલાક મહિના પછી એમણે બીજી વાર ઘર પાસે આવેલા લાલ કૂવા તરીકે જાણીતા મોટા કૂવામાં પડતું મૂક્યું. આ વખતે વહેલી પરોઢે તેઓ કૂવામાં પડ્યા કે જેથી કોઈની અવરજવર ન હોય અને બચાવવા કોઈ દોડે નહિ. સવાર પડતાં પનિહારીઓ કૂવે ગઈ ત્યારે એમણે ડાહ્યાકાકાનું શબ પાણીમાં તરતું જોયું. વડીલ બંધુ અમૃતલાલ માટે આ ઘટના બહુ આઘાતજનક હતી. એની અસર એમની તબિયત ઉપર પડી અને તેઓ સાજા મારા પિતાશ્રી : ૧૯૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy