SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ સરતે (નજર મેળવવાથી) કરડે કૂતરો, બિનસરતે કરડે વાઘ, વિશ્વાસે કરડે વાણિયો, ચંપાયો કરડે નાગ.’ લગભગ પાંચેક દાયકાથી ચાલતા આવા ધમધોકાર વેપારમાં ઈ. સ. ૧૯૨૦માં અચાનક પલટો આવ્યો. ઈંટોલાનું જિન ત્યાંના વેપારી કાલિદાસ નારણભાઈનું હતું. એ જિનમાં અચાનક મોટી આગ લાગી અને એમાં અમૃતલાલ બાપાની માલિકીની રૂની બે હજાર ગાંસડી બળી ગઈ તથા બીજું ઘણું નુકસાન થયું. ભારે મોટી આઘાતજનક ઘટના બની. રૂના વેપારમાં વીમો ઊતરાવવો જ જોઈએ. પણ એ વીમો કાલિદાસ નારણભાઈના નામનો હતો. આશરે ત્રણ લાખ રૂપિયાનું નુકસાન એ વરસોમાં થયું. વીમા કંપની આટલો મોટો વીમો ચૂકવવા ઇચ્છતી નહોતી. ઘણા વાંધા પાડ્યા અને ઘણી તકલીફ પછી થોડીક કમ કાલિદાસને ચૂકવી. કાલિદાસની આર્થિક સ્થિતિ નબળી થઈ ગઈ હતી. એમની દાનત બગડી. વીમાની આવેલી રકમમાંથી એમણે એક રૂપિયો પણ આપ્યો નહિ. ધંધાની ખોટ અને સાથે સાથે વિશ્વાસઘાતનો અનુભવ થયો. આફતનાં જાણે વાદળાં ઊમટી આવ્યાં. આવડા બહોળા વેપારને ત્રણ લાખની ખોટની દૃષ્ટિએ સરભર કરવામાં વાર તો લાગે અને તે પણ કદાચ શક્ય બની શક્યું હોત, પરંતુ આવી ઘટના બને ત્યારે વ્યાજે પૈસા મૂકેલા હોય એ બધા લેણદારો એકસાથે પૈસા માટે દોડે. એટલે મુશ્કેલીનો પાર ન રહ્યો. બીજી બાજુ ગરજના વખતે વેપારીઓ પણ સસ્તામાં માલ પડાવી જાય. વેપારધંધા સંકેલાવા લાગ્યા. દેવાં ચૂક્ત થવા લાગ્યાં. જિનો, જમીનો, ખેતરો, દુકાનો, સોનાનાં ઘરેણાં બધું વેચાતું ગયું. ચાર-પાંચ વર્ષમાં તો હાથેપગે થઈ જવાયું. કેટલાક વેપારીઓનાં દેવાં પૂરેપૂરાં ચૂકતે થયાં, પરંતુ સગાંસંબંધીઓએ તથા બીજાં ઘણાંએ પોતાની રકમ લેવાની ના પાડીને કહ્યું, તમે અમારા ઉપર ઘણો બધો ઉપકાર કર્યો છે. અમારા પૈસા એ કોઈ મોટી વાત નથી.' થોડાં વર્ષમાં બધું જ વેચાઈ ગયું. એકમાત્ર રહેવાનું ઘર બચ્યું. હતું. એક સ્થાનિક ભાઈએ કોર્ટમાં દાવો કર્યો અને છેવટે એ ઘરની અંદર અમૃતલાલ બાપા જીવે ત્યાં સુધી રહેવાનો હૂક મળ્યો, પણ ઘરની માલિકી બદલાઈ ગઈ. બીજા બે-ત્રણ જણે પણ કોર્ટમાં દાવા કર્યા. અમૃતલાલ બાપાએ એ બધાનો સમતાપૂર્વક સામનો કર્યો. એક વખત કોર્ટના ન્યાયાધીશે ટકોર કરી કે ઊલટતપાસમાં ફરિયાદી ત્રણ વાર જૂઠું બોલતાં પકડાયા છે અને પ્રતિવાદી અમૃતલાલને માથે આટલી બધી ઉપાધિ આવી પડી છે છતાં એક પણ વખત તેઓ જૂઠું બોલ્યા નથી.’ Jain Education International ૧૯૮ * ચરિત્રદર્શન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy