SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ કે પાંચ વાનગી લે. આખા દિવસમાં આઠ વાનગી લે. જરૂર પડ્યે દાળ અને શાકનું મિશ્રણ કરે. પછી આખો દિવસ વચમાં કશું ન લે. ચોવિહાર કરે અને તેમાં ફક્ત ત્રણ વાનગી લે. પ્રવાસમાં અમે હોઈએ અને સાંજ પડવા આવે પણ પોતે કશું બોલે નહિ. ડ્રાઇવર યાદ રાખે. સૂકી ત્રણ વાનગીઓનો ભાનુબહેને ડબ્બો બાંધી આપ્યો હોય તો તે આપે. ચાલુ પ્રવાસે જ તેઓ આહાર લે. એ માટે ગાડી થોભાવે નહિ. કોઈ વખત વેળાસર હૉસ્પિટલમાં પહોંચી જવાની ધારણા હોય એટલે ભાનુબહેને કશું બંધાવ્યું ન હોય, પણ મોડું થાય તો ડ્રાઇવર કહે કે ભાનુબહેને કશું આપ્યું નથી. પછી પોતે જ રસ્તામાં કોઈ કેળાંની લારી ઊભી હોય તો કેળાં લાવે. તેમાંથી દોશીકાકા એક અથવા બે લે. કોઈ વાર રસ્તામાં કેળાં ન મળે તો કાકા ભૂખ્યા રહે, પણ કોઈને કહે નહિ, કોઈની ભૂલ ન કાઢે કે કોઈને ટોકે નહિ. મહેમાનોનું પ્રેમભર્યું સ્વાગત કરવું, તેમને અતિથિગૃહમાં ઉતારો આપી તેમનાં ભોજનાદિની સગવડ કરવી, તેમની સેવામાં કર્મચારીઓને જુદા જુદાં કામ સોંપવાં, ગાડીમાં બેસાડીને તેઓને આસપાસ ફેરવવા ઇત્યાદિ પ્રવૃત્તિઓમાં દોશી-દંપતીના ઉત્સાહની આપણને પ્રતીતિ થાય. કાકા અને મુ. ભાનુબહેન અતિથિગૃહમાં આવી બધી વસ્તુનું બરાબર ધ્યાન રાખે. કોઈ દિવસ એવો ન હોય કે માત્ર કાકા અને ભાનુબહેન – એમ બે જણે સાથે ભોજન લીધું હોય. અતિથિ બારે માસ હોય અને તેમને ઉત્સાહથી જમાડે. મહેમાન વગર ખાવાનું ન ભાવે. ચિખોદરાની હૉસ્પિટલને આંત૨રાષ્ટ્રીય ખ્યાતિ મળેલી છે એટલે દેશવિદેશથી મુલાકાતે આવના૨ મહેમાનોની અવરજવર આખું વર્ષ રહે, છતાં નહિ થાક કે નહિ કચવાટનું નામનિશાન. તેઓ કામ ક૨વામાં ચોક્કસ, પણ નોકરચાકરની કંઈ ભૂલ થઈ હોય છતાં દોશી-દંપતીએ ક્યારેય ગુસ્સો કર્યો હોય, બરાડા પાડ્યા હોય એવું ક્યારેય ન બને. સમતાનો ગુણ તેમના જીવનમાં વણાઈ ગયો છે. શ્રી આર. કે. દેસાઈએ એમના જીવનવૃત્તાંતમાં લખ્યું છે : દોશીકાકામાં ક્રોધ કરમાઈ ગયો છે, ગુસ્સો ગાયબ થઈ ગયો છે. બધાં કામ પ્રેમથી જ કરવાનાં. અધરાત-મધરાત ગમે ત્યારે ગમે તે કામ માટે એમને મળી શકાય. તેમની સમક્ષ કોઈ ગુસ્સો લઈને આવ્યું તો તરત જ આવનાર વ્યક્તિ બરફ બની જતો. ભયંકર ગણાતી ક્ષતિને પણ માફ જ કરવાની વૃત્તિ. સૌ સાથે પ્રેમભાવનો ધોધ જ વહેતો જણાશે. કોઈના પ્રત્યે શત્રુતા નથી, વે૨ નથી કે કડવાશ નથી. શિથિલતા દર્શાવનાર વ્યક્તિઓ પ્રત્યે આકરા થવાની વૃત્તિ નથી. નરી શીતળતા, ચંદ્રથી પણ વિશેષ શીતળતા. સૌનું વિશ્રામસ્થાન એટલે દોશીકાકા; થાક્યાપાક્યનું એ વિશ્રામસ્થાન છે. ૧૮૬ ચરિત્રદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy