SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ બેસવાનું પણ ટાળે. દોશીકાકા થોડા પાછળ બેઠા હતા. આગળ આવવાનો આગ્રહ કર્યો ત્યારે કહ્યું કે તેઓ નિશ્ચિત સમયે નીકળીને ચિખોદરા પહોંચવા ઇચ્છે છે. સાયલાથી અમદાવાદ બસમાં અને અમદાવાદથી બસ બદલીને તેઓ આણંદ જવાના હતા. સભામાં એક સજ્જન પધાર્યા હતા. તેઓ કાર્યક્રમ પછી પોતાની ગાડીમાં આણંદ જવાના હતા. એટલે મેં તેમની સાથે ગાડીમાં જવાનું સૂચન કર્યું. પરંતુ દોશીકાકાએ કહ્યું “મને એમ કોઈની ગાડીમાં જવાનું નહિ ફાવે. કોઈને મોડું-વહેલું થાય. બસ તરત મળી જાય છે એટલે મારે મોડું નહિ થાય.” અમે બહુ આગ્રહ કર્યો ત્યારે કહ્યું, “ભલે જોઈશું.” પરંતુ કાર્યક્રમ પૂરો થયો ત્યારે દોશીકાકા તો નીકળી ગયા હતા. દોશીકાકાને શ્રીમંતો પ્રત્યે એલર્જી છે એવું નથી, પણ તેમને આમજનતા વચ્ચે આમજનતાના થઈને, જાણે કે કોઈ પોતાને ઓળખતું નથી એવા થઈને રહેવું ગમે છે. એમના વિગલિત થયેલા માનકષાયનું આ પરિણામ છે. એક વખત અમારે આગલોડ અને મહુડીની યાત્રાએ જવું હતું. કાકા કહે ‘અમારી જીપ લઈ જાવ.” અમે કહ્યું, ‘પણ કાકા, તમારે ગાંધીનગર જવું છે તો તમે જ જીપ લઈ જાવ. અમે બીજી વ્યવસ્થા કરી લઈશું.' કાકા કહે, “જીપ તો તમે જ લઈ જાવ, હું બસમાં જ જઈશ.” બહુ આગ્રહ કરતાં કાકા કહે, “એમ કરો, મારું કામ પતાવી હું મહુડી આવીશ અને વળતાં તમારી સાથે પાછો આવી જઈશ.' કાર્યક્રમની વિગતો નક્કી થઈ. મહુડી પહોંચવાનો અમારો સમય પણ નક્કી થયો. પરંતુ ચિખોદરાથી નીકળ્યા પછી તરત અમારામાંના એક મિત્રે બીજું પણ એક સ્થળ સમાવી લેવાનો આગ્રહ કર્યો અને ચિખોદરાથી પહેલાં એ સ્થળે જવું અને પછી જ આગલોડ અને મહુડી જવું. પણ એ સ્થળનો રસ્તો લાંબો હતો. એટલે એમ કરતાં અમારી બસ સાંજના સાત વાગે મહુડી પહોંચી. પહોંચતાં જ ત્યાંના એક કર્મચારીભાઈએ કહ્યું, “દોશીકાકા તો તમારી બે કલાક રાહ જોઈને બસમાં ચિખોદરા ગયા.” આ સાંભળીને અમને બહુ અફસોસ થયો. જેમની જીપ છે તે બસમાં જાય ! અમારે એમની જીપમાં જવાનું? વળી એમને બે કલાક રાહ જોવી પડી. ચિખોદરા અમે પહોંચ્યા તો કાકાએ પૂછ્યું, “કેમ મોડું થયું ?” અમે એમની ક્ષમા માગી પણ એમણે એ વાતને સહજ ગણી, જરા પણ ચિડાયા નહિ કે ન ઠપકો આપ્યો. બલકે તેઓ હસતાં હસતાં અમારી સરભરામાં લાગી ગયા. દેશીકાકાની સમતાનું ત્યારે દર્શન થયું. દોશીકાકાની ભોજનની પ્રવૃત્તિ અત્યંત શાંત અને સંયમિત. સવારે તેઓ ચાર અમારા પૂજ્ય શ્રી દોશીકાકા એ ૧૮૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy