SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ આપવામાં આવ્યું હતું. દોશીકાકાને આ વખતે દાદાની સાથે રહેવાની અને એમની કામ કરવાની કુનેહનાં દર્શન થયાં. દર્દીઓની સ્ટ્રેચર રવિશંકર મહારાજ પોતે પણ ઉપાડતા. દાદાએ દોશીકાકાને શહે૨ને બદલે ગામડામાં જઈને લોકોની સેવા કરવાની ભલામણ કરી. એટલે દોશીકાકા અમદાવાદથી આણંદ અને બોચાસણ સેવા આપવા જવા લાગ્યા. પછીથી તો અમદાવાદ છોડીને આણંદમાં દવાખાનું કર્યું. પછી તેઓ દર શનિ, રવિ બોચાસણમાં નેત્રશિબિર યોજતા. એમાં એક પણ દર્દીને પાછો મોકલતા નહિ. આમ દોશીકાકાની મફત નેત્રયજ્ઞોની પ્રવૃત્તિ વધતી ચાલી. ૧૦૦મો નેત્રયજ્ઞ વ્યારામાં થયો. ત્યાર પછી દોશીકાકાએ પોતાની આણંદની હૉસ્પિટલ, ટ્રસ્ટ બનાવી ટ્રસ્ટને સોંપી દીધી. હવે પોતાની અંગત મિલકત રહી નહિ, કાકાની પાસે પોતાની માલિકીનું મકાન, જમીન, મિલકત, બેંકમાં ખાતું વગેરે કશું જ નથી. કાકાને ઇન્કમટેક્સ ભરવાનો હોતો નથી. કાકાએ પોતાનું જીવન સમાજને સમર્પિત કરી દીધું. દોશીકાકાને ગાંધીજી, વિનોબાજી, રવિશંકર મહારાજ, બબલભાઈ મહેતા, પૂ. મોટા સ્વામી સચ્ચિદાનંદજી, ગંગાબા, દાંડીયાત્રાવાળા શ્રી કૃષ્ણજી વગેરે પાસેથી લોકસેવાની પ્રેરણા મળી છે. ડૉ. છોટુભાઈ પટેલ, શ્રી ગોરધનભાઈ ઠક્કર, ડૉ. પ્રો. ભાનુપ્રસાદ ચોકસી, રવિશંકર મહારાજના પુત્ર પંડિત મેઘવ્રત, ડૉ. ચંપકભાઈ મહેતા, ડૉ. નરેન્દ્રભાઈ મહેતા વગેરેનો સરસ સહકાર સાંપડ્યો છે. અહીં તો થોડાંક જ નામ આપ્યાં છે. દોશીકાકાનો નિત્યક્રમ તે વહેલી સવારે ઊઠી સીધા સામયિકમાં બેસી જવું અને લોગસ્સનો જાપ કરવો. પછી દૂધ પીને (ચા તો કાકાએ જિંદગીમાં ક્યારેય ચાખી નથી.) હૉસ્પિટલમાં ઑપરેશન કરે અને ત્યાર પછી આણંદના દવાખાનામાં જાય. દોશીકાકા સાંજે જમીને ભાનુબહેન સાથે સારા ગ્રંથોનું વાચન કરે. રાત્રે દોશીકાકા ઑફિસમાં ટેબલ ૫૨ માત્ર ચાદર પાથરી, ટેલિફોન પાસે રાખી સૂઈ જાય. સૂતાં જ ઊંઘ આવી જાય. રાત્રે કોઈનો ફોન આવે તો દોશીકાકા તરત ઉપાડે. પછી જો ઊંઘ ઊડી જાય તો તરત સામાયિકમાં બેસી જાય. દોશીકાકાએ પાંચ દાયકા કરતાં વધારે સમયથી ક્ષયનિવારણ અને અંધત્વનિવારણના ક્ષેત્રે સંગીન, સંનિષ્ઠ, સેવાભાવી કાર્ય કર્યું છે. એટલે એમની એ ક્ષેત્રની સિદ્ધિઓની કદરરૂપે વખતોવખત જુદી જુદી સંસ્થા કે સરકાર તરફથી એવૉર્ડ, ૧૭૬ ચરિત્રદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy