SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ લગ્ન કર્યાં હતાં અને એમને સાત દીકરા અને એક દીકરી એમ આઠ સંતાન હતાં. રામજીભાઈએ પોતાના કેટલાક દીકરાઓને અભ્યાસ માટે કરાંચી મોકલ્યા હતા. એટલે દોશીકાકાએ પણ થોડો વખત કરાંચીમાં અભ્યાસ કર્યો હતો. એ દિવસોમાં બહુ ઓછા વિદ્યાર્થીઓ દાક્તરી વિદ્યાનો અભ્યાસ કરી ડૉક્ટર થતા. રામજીભાઈના પાંચ દીકરા ડૉક્ટર થયા હતા. દોશીકાકા અમદાવાદમાં એલ.સી.પી.એસ. થયા અને મુંબઈમાં ડી.ઓ.એમ.એસ. થયા. એમણે કચ્છના ભચાઉમાં તથા પાનેલી, જામજોધપુર વગેરે સ્થળે દાક્તર તરીકે અને નડિયાદમાં તે વિષયોના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી હતી. દોશીકાકાનાં ધર્મપત્ની ભાનુબહેન કાકાના દરેક કાર્યમાં સહયોગ આપતાં રહે છે. જૂનાગઢનાં વતની, પરંતુ રંગૂનમાં ઊછરેલાં ભાનુબહેન બીજા વિશ્વયુદ્ધ પછી પોતાનાં માતાપિતા સાથે જૂનાગઢ પાછાં ફર્યાં હતાં. રાજકોટ ડૉ. ૨મણીકલાલ દોશી સાથે એમનાં લગ્ન થયાં. દોશી-દંપતીને સંતાન નહિ, પણ તેઓએ પોતાનાં ભાઈઓનાં સંતાનોને ઘરે રાખી પોતાનાં સંતાનોની જેમ સારી રીતે ઉછેર્યાં. ભાનુબહેન શ્રીમંતાઈમાં ઊછર્યાં હતાં, પણ કાકા સાથે લગ્ન પછી એમણે કાકાની સાદાઈ, સેવા અને સમર્પણની ભાવનાને આત્મસાત્ કરી લીધી હતી. અમે વડોદરા જઈએ તો કેટલીયે વા૨ ત્યાં ભાનુબહેનની સાથે એમના ભાઈનું પણ આતિથ્ય માણ્યું છે. હૉસ્પિટલમાં ભાનુબહેન રસોડાનું ધ્યાન રાખે. દોશીકાકા બહારગામ હોય તો ડૉ. છોટુભાઈ અને અંબાલાલ ધ્યાન રાખે, પણ ભાનુબહેન પણ હોસ્પિટલનું ધ્યાન રાખે. વિદેશથી આવેલા કપડાંનું ગરીબોમાં વિતરણ કરે. ભાનુબહેન સવારનાં આંગણામાં પક્ષીઓને ચણ નાખે ત્યારે મોર, પોપટ, કબૂતર, કાબર, ચકલી વગેરે પક્ષીઓ એકસાથે મળીને ચણે એ રંગબેરંગી મનોહર દશ્ય રળિયામણું અને શાંતિપ્રેરક લાગે. આણંદમાં ઉપાશ્રય બંધાવવા માટે ફંડ એકત્ર કરવામાં ભાનુબહેને ઘણે ઘરે ફરીને સારી મહેનત કરી હતી. આમ કાકાની અર્ધાંગિની તરીકે ભાનુબહેને પણ પોતાના જીવનને સાર્થક કર્યું છે અને શોભાવ્યું છે. ત્યાર પછી દોશીકાકાએ અમદાવાદમાં રીલિફ રોડ ઉપર એક ડૉક્ટર મિત્રની ભાગીદારીમાં ‘હિંદ મિશન હૉસ્પિટલ' શરૂ કરી. આ હૉસ્પિટલમાં ફક્ત એક રૂપિયો ફી લઈને દર્દીને આંખની સારવાર કરી આપવામાં આવતી. દરમિયાન દોશીકાકા પૂ. રવિશંક૨ દાદાના ગાઢ પરિચયમાં આવતા ગયા. ૧૯૪૩માં આઝાદી પૂર્વે દાદાએ રાધનપુરમાં નેત્રયજ્ઞ યોજ્યો હતો અને એમાં દોશીકાકાને સેવા આપવા માટે નિમંત્રણ અમારા પૂજ્ય શ્રી દોશીકાકા ૧૭૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy