SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ પાછી મોકલી એટલે બળવંતરાય અમદાવાદ આવ્યા ત્યારે ધૂંઆપૂંઆ થતા “કુમાર કાર્યાલયમાં ગયા. બચુભાઈએ એમને શાંત પાડ્યા અને નબળી કવિતા ન છાપવી એ “કુમાર'ના તથા બળવંતરાયના હિતની વાત છે એમ પ્રેમથી સમજાવ્યું. આવું તો બીજા કેટલાયે લેખકોની બાબતમાં બન્યું છે. ચુનીલાલ મડિયાની એક વાત બચુભાઈએ પાછી મોકલાવી તો મડિયાએ “કુમારમાં વાર્તા લખવાનું બંધ કર્યું. એક વખત બીજા એક પ્રતિષ્ઠિત વાર્તાકારની વાર્તા પાછી ગઈ એટલે એમણે પોતાના મિત્ર દ્વારા ધમકી આપી કે, “અમે લેખકો ‘કુમારનો બહિષ્કાર કરીશું.” બચુભાઈ પાસે આ વાત આવી ત્યારે એમણે કહ્યું, “તમારા મિત્રને કહેજો કે હું કોઈ દ્વેષ. ઈષ કે જૂથબંધીને કારણે કૃતિ પાછી મોકલાવતો નથી. કુમારના ધોરણને અનુરૂપ ન હોય એવી કતિ ગમે તેવા મોટા કવિ-લેખકની હોય તોપણ તે પાછી મોકલાવું છું. તેમ છતાં બહિષ્કાર કરવો હોય તો જરૂર કરે; એકલે હાથે આખી જિંદગી “કુમાર” નિયમિત ચલાવી શકું એટલો મારામાં મને વિશ્વાસ છે.” બચુભાઈ પોતે પણ ‘કુમાર'માં લખતા. શરૂઆતમાં તેઓ પોતાના નામથી લખતા. પછી ઉપનામ “ઈ.ત.'થી લખતા - બચુભાઈનો છેલ્લો અક્ષર “ઈ' અને રાવતનો છેલ્લો અક્ષર ત. પછીથી ઈ.ત.” ઉપનામ પણ મૂકવાનું તેમણે છોડી દીધું. કુમાર”માં નામ વગરનું જે લખાણ હોય તે બચુભાઈનું રહેતું. બચુભાઈએ નવા નવા લેખકો, કવિઓ, ચિત્રકારો વગેરે તૈયાર કરવામાં કેટલો બધો ફાળો આપ્યો છે ! કાચાં લખાણો સુધારી-મઠારીને તૈયાર કરવામાં તંત્રી તરીકે બચુભાઈએ જેટલું કાર્ય કર્યું છે એટલું ભાગ્યે જ કોઈએ કર્યું હશે! પરિણામે કેટલા બધા કવિ-લેખકોએ પોતાનું પુસ્તક બચુભાઈને અર્પણ કર્યું છે! સાધનસામગ્રીની પસંદગીમાં આટલા બધા કડક છતાં સામયિકના કોઈ એક તંત્રીને વધુમાં વધુ પુસ્તકો અર્પણ થયાં હોય તો તે બચુભાઈને ! ગુજરાતના કવિ-લેખકોની ત્રણ પેઢીને તૈયાર કરવામાં બચુભાઈનો હિસ્સો ઘણો મોટો છે. તંત્રીને બદલે માત્ર લેખક બન્યા હોય તો બચુભાઈ પાસેથી વિવિધ વિષયોનાં સંખ્યાબંધ પુસ્તકો મળ્યાં હોત. કેટલા બધા વિષયોની બચુભાઈ પ્રમાણભૂત જાણકારી ધરાવે ! અભ્યાસ તો મેટ્રિક સુધીનો હતો. પણ વાચનનો ભારે શોખ. પુસ્તકો વસાવે અને વાંચે. પછી તો ‘કુમારને નિમિત્તે પણ ઘણા ગ્રંથો અને સામયિકો દેશવિદેશનાં વાંચે. એમની અસાધારણ જાણકારીને લીધે તો એમને કેટલાક વોકિંગ એન્સાઈક્લોપીડિયા’ તરીકે ઓળખતા. બચુભાઈ એટલે જાણે પોતે જ એક શૈક્ષણિક સંસ્થા – વન-મેન ઇન્સ્ટિટ્યૂશન જેવા ! મેટ્રિક થયા પછી બચુભાઈ ‘સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયમાં જોડાયા. ત્યાં ૧૫૮ જ ચરિત્રદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy