SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યોતીન્દ્ર સાથે મારે ઘનિષ્ઠ પરિચય થયો ફાર્બસ ગુજરાતી સભાને નિમિત્તે. ચંદ્રવદન મહેતા ફાર્બસ સભાના પ્રમુખ અને જ્યોતીન્દ્ર મંત્રી હતા. અમારી સમિતિની બેઠકમાં તેઓ બંનેની હાજરી અચૂક હોય. સરસ વાતાવરણ જામે. ઘણી નવી વાતો જાણવા મળે. બંને સમયવસ્ક મિત્રો એકબીજા ઉપર કટાક્ષ કરે તે માણવા મળે. બેઠકના સમય કરતાં અડધા કલાક વહેલા બંને મુરબ્બીઓ આવી ગયા હોય. ઘરેથી ફાર્બસ પર પહોંચવા સીધી કોઈ બસ મળે નહિ એટલે જ્યોતીન્દ્ર ઘરેથી ચાલતા આવે અને ચાલતા પાછા જાય. પાછા ફરતી વખતે ઘણી વાર હું એમની સાથે ચાલતો ઘર સુધી મૂકવા જતો. ગાડી કે ટૅક્સીની તેઓ ના પાડતા અને કહેતા કે આટલું ચાલવાનું મળે છે તે સારું છે. આટલું નહિ ચાલુ તો ઘરમાં આંટા મારવા પડશે. છેલ્લે તો ફાર્બસની બેઠક સિવાય એમને બહાર જવાનું ખાસ બહુ થતું નહિ. તબિયત પણ એટલી અનુકૂળ રહેતી નહિ તોપણ ફાર્બસની મિટિંગમાં અવશ્ય આવે. કોઈ કોઈ વખત પોતાના દીકરાઓની ભાવિ પ્રગતિ વિશે ચિંતા વ્યક્ત છે. જ્યોતીન્દ્રનો સ્વભાવ સરળ અને નિરભિમાની હતો. કોઈ પણ કાર્યક્રમ માટે તેમને નિમંત્રણ મળે અને જો અનુકૂળ હોય તો તરત સ્વીકારે. એમાં ક્યારેય અક્કડ કે વાંકા ન બને. બહારગામ બોલાવનાર સંસ્થાએ સરખી સગવડ ન કરી હોય તો તે વાતને હસી કાઢે. કોઈ વખત કોઈ સંસ્થાએ આયોજનમાં ગરબડ કરી હોય તો ઠપકો ન આપે, પણ વાતને અવળવાણીમાં ઉડાવી દે. એક વખત સુરતની એક સંસ્થાએ એક કાર્યક્રમ માટે પ્રમુખ તરીકે જ્યોતીન્દ્રને નિમંત્રણ આપ્યું. સંસ્થાના બીજા કોઈ કાર્યકર્તા એ જ કાર્યક્રમ માટે ભૂલથી ચંદ્રવદન મહેતાને પ્રમુખ તરીકે પધારવા નિમંત્રણ આપી આવેલા. બંને કાર્યક્રમમાં પહોંચ્યા ત્યારે ગોટાળાની ખબર પડી. કાર્યકર્તાઓ મૂંઝાયા. જ્યોતીન્દ્ર અને ચંદ્રવદને ગુસ્સો કરી કાર્યકર્તાઓને ઠપકો આપવાને બદલે નવી તરાહનો તોડ કાઢ્યો કે અડધું વાક્ય ચંદ્રવદન બોલે અને બાકીનું પૂરું કરે જ્યોતીન્દ્ર. પછી જ્યોતીન્દ્ર અડધું વાક્ય બોલે અને ચંદ્રવદન પૂરું કરે. આ રીતે અડધો કલાક પ્રમુખ તરીકે બંનેએ બોલીને લોકોને ખડખડાટ હસાવ્યા કરીને કાર્યક્રમને વધુ રસિક બનાવ્યો. આવો જ બીજો એક પ્રસંગ પણ મને યાદ છે જેમાં હું હાજર હતો. એ કાર્યક્રમમાં સ્ત્રીપુરુષ વિશે એક વિવાદસભાનું આયોજન થયું હતું. સભામાં પ્રસ્તાવની તરફેણમાં જ્યોતીન્દ્રને બોલવાનું હતું અને વિરુદ્ધમાં બીજા એક લેખકને બોલવાનું હતું. પરંતુ એ લેખક આવ્યા નહિ. એથી કાર્યકર્તાઓ મૂંઝાયા. પણ જ્યોતીન્દ્ર તેનો રસ્તો કાઢ્યો. જ્યોતીન્દ્ર પ્રથમ તરફેણમાં બોલ્યા. પછી બીજી બાજુ જઈ માઈક ઉપરથી એ પ્રસ્તાવની વિરુદ્ધમાં બોલ્યા. પોતે પ્રથમ કરેલી દલીલોને વિરુદ્ધમાં બોલીને ૧૫૪ * ચરિત્રદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy