SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ચર્ચા ચાલુ રહે છે. હું કહીશ ત્યારે બંધ થશે.’’ મદ્રાસમાં યોજાયેલા ગુજરાતી પરિષદના સંમેલનમાં પણ ચંદ્રવદનના ઔપચારિકતાના આગ્રહનો પરિચય થયેલો. એમના પ્રમુખસ્થાને એક બેઠક ચાલતી હતી. ત્યાં સભાના ગવર્નર આવી પહોંચ્યા. કેટલાક કાર્યકર્તાઓ ગવર્નરને મંચ ઉપર બેસાડવા માટે લઈ આવ્યા. ગવર્નરે ટૂંકું ભાષણ આપ્યું ત્યારે ચંદ્રવદન એટલો વખત મંચ ઉપરથી ઊતરીને નીચે શ્રોતાઓમાં બેસી ગયા હતા. ગવર્નરના ગયા પછી એમણે મંચ ઉપર આવીને આ પ્રકારની કાર્યવાહીના પોતે સખત વિરોધી છે એવો સ્પષ્ટ સૂર દર્શાવ્યો હતો. ચંદ્રવદને નિવૃત્ત થયા ત્યાં સુધી રેડિયોની નોકરી કરેલી. રેડિયોના કાર્યક્રમો ઘડિયાળના મિનિટના અને સેકન્ડના કાંટા પ્રમાણે ચાલે. રેડિયોની આ શિસ્ત બ્રિટિશ અધિકારીઓએ દાખલ કરેલી. ત્યારથી એ શિસ્ત સચવાઈ રહી છે. રેડિયોમાં કામ ક૨વાને લીધે અને પોતાની પણ એવી જ પ્રકૃતિને કારણે ચંદ્રવદન સમયપાલનના ચુસ્ત આગ્રહી હતા. કોઈ પણ સભામાં જવાનું હોય તો તેઓ નિયત સમય કરતાં વહેલા જ પહોંચ્યા હોય. સભાનું સંચાલન જો પોતે ક૨વાનું હોય તો ઘડિયાળના ટકોરે કરે, પછી ભલે ગમે તેટલી ઓછી હાજરી હોય. કોઈ સભામાં તેમનું વ્યાખ્યાન રાખવામાં આવ્યું હોય અને ખબર પડે કે કાર્યકર્તાઓએ આગળ-પાછળ ઘણુંબધું ભરી દીધું છે તો તેઓ મુખ્ય કાર્યકર્તાને એટલું જ કહેતા કે તમારે જે રીતે કાર્યક્રમ ચલાવવો હોય તેમ ચલાવો, પરંતુ મારો સમય થશે એટલે હું હૉલ છોડીને જતો રહીશ. પછી ભલે મારો બોલવાનો વારો આવે કે ન આવે.' ચંદ્રવદન એવી કડક રીતે કહેતા કે સભાના કાર્યકરોને તે વાતને ગંભી૨૫ણે લઈને આયોજનમાં ફેરફાર કરવા પડતા. ચંદ્રવદન ઔપચારિકતાના આગ્રહી હતા તેનો બીજો પણ એક પ્રસંગ યાદ આવે છે. સાહિત્યનાં કેટલાંક પુસ્તકો પ્રકાશિત કરનાર એક ટ્રસ્ટ તરફથી ‘કુમાર'ના તંત્રી શ્રી બચુભાઈ રાવતનું અભિવાદન કરવાનો એક કાર્યક્રમ મુંબઈમાં ચંદ્રવદનના પ્રમુખસ્થાને યોજવામાં આવ્યો હતો. ચંદ્રવદન એ કાર્યક્રમ માટે મુંબઈમાં બે દિવસ અગાઉ આવી ગયા હતા, પરંતુ કાર્યક્રમમાં તેઓ ઔપચારિકતા ન સચવાયાને કા૨ણે ઉપસ્થિત રહ્યા ન હતા. મુંબઈમાં તેઓ આવ્યા કે તરત જ મેં એમનો સંપર્ક સાધ્યો હતો અને બચુભાઈના કાર્યક્રમની વાત નીકળી હતી. તેમણે કહ્યું કે ‘“હા, કાર્યક્રમના નિમંત્રણ-કાર્ડમાં મારું નામ પ્રમુખ તરીકે છપાયું છે. પરંતુ હું તેમાં આવવાનો નથી.' એ સાંભળી મને આશ્ચર્ય થયું. કારણ પૂછ્યું તો કહે કે “આયોજકે ત્રણેક મહિના પહેલાં અમસ્તાં ક્યાંક અમે મળ્યા ત્યારે મારી મૌખિક સંમતિ લીધી હતી, પરંતુ મેં સ્પષ્ટ કહ્યું હતું કે ‘તમારો લેખિત નિયંત્રણ-પત્ર આવશે એટલે હું તમને લખીને ૧૪૪ ચરિત્રદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy