SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ જાહેર કાર્યક્રમોમાં સતત જવાનું હોય એટલે એમની વાતો અનુભવસિદ્ધ હોય. બંને ખેલદિલ પણ એટલા જ. એમનો એક લાક્ષણિક અનુભવ ભુલાય એવો નથી. એક વખત સુરતની કોઈ એક સંસ્થાએ એક કાર્યક્રમ માટે પ્રમુખ તરીકે જ્યોતીન્દ્ર દવેને નિમંત્રણ આપ્યું. સંસ્થાના બીજા કોઈ કાર્યકર્તાએ એ જ કાર્યક્રમ માટે ભૂલથી ચંદ્રવદન મહેતાને પ્રમુખ તરીકે પધારવા માટે નિમંત્રણ આપેલું. કાર્યક્રમમાં બંને પહોંચ્યા ત્યારે ખબર પડી કે કંઈક ગોટાળો થયેલો છે. કાર્યકર્તાઓ મૂંઝાયા. જ્યોતીન્દ્ર અને ચંદ્રવદન ખેલદિલ એટલે ગુસ્સો ન કર્યો. બંનેએ તોડ કાઢ્યો કે કાર્યક્રમમાં એક પ્રમુખને બદલે બે પ્રમુખ રહે. પ્રમુખ તરીકે અડધું વાક્ય ચંદ્રવદન બોલે અને તે વાક્ય જ્યોતીન્દ્ર પૂરું કરે. પછી અડધું વાક્ય જ્યોતીન્દ્ર બોલે અને તે ચંદ્રવદન પૂરું કરે. આમ સભાના પ્રમુખ બે, પણ ભાષણ એક રહે. આ રીતે અડધો કલાક બંનેએ વારાફરતી બોલીને કાર્યક્રમને વધુ રસિક, સફળ અને યાદગાર બનાવ્યો. ફાર્બસમાંથી ભૃગુરાય અંજારિયા છૂટા થયા પછી સમિતિમાં પણ થોડા ફેરફારો થયા. સમિતિના ઘણા સભ્યો મુંબઈના કોટ વિસ્તારમાં કામ કરે અને સાંજને સમયે ફાર્બસ સુધી પહોંચવાનું અઘરું પડે. એટલે મિટિંગ પણ કોટ વિસ્તારમાં બોલાવાતી. અડધો કલાક કે કલાક વહેલા આવવાને ટેવાયેલા ચંદ્રવદન એકલા બેઠા મૂંઝાય. એક વખત મને કહે : “સંસ્થાની મિટિંગ સંસ્થાના કાર્યાલયમાં હોય એમાં જ એનું ગૌરવ છે. બીજે મિટિંગ થાય છે તે મને પસંદ નથી.” ફાર્બસનું પ્રમુખપદ આજીવન હોય છે. અગાઉના પ્રમુખો આ રીતે આજીવન રહેલા. ચંદ્રવદને ફાર્બસમાંથી પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું. ઉંમરને કારણે હશે એમ મેં માન્યું. એ પ્રમુખસ્થાનની જવાબદારી મારે માથે આવી. મેં એમને આશીર્વાદ માટે પત્ર લખ્યો. એમણે પત્રમાં શુભાશિષ સાથે પોતાના દુઃખની વાત કરી. છૂટા થવામાં ઉંમરનું કોઈ કારણ નથી, કારણ કે હજુ આખી દુનિયામાં પોતે દોડાદોડ કરે છે, પરંતુ ફાર્બસમાં પોતાને રસ રહે એવું હવે વાતાવરણ નથી. અન્ય પણ કેટલાંક કારણો એમણે પત્રમાં લખ્યાં અને રૂબરૂ મળ્યા ત્યારે પણ જણાવ્યાં. ચંદ્રવદન એકલા અને વળી ફરતા રામ. આથી તેઓ અનેક લોકોના અંગત સંપર્કમાં આવેલા હોય. એમની યાદશક્તિ પણ સારી. બધાના સ્વભાવથી પણ પરિચિત હોય. ચંદ્રવદનને મળીએ એટલે જૂના વખતના અનેક અનુભવોની વાત પણ સાંભળવા મળે. ચંદ્રવદન નાટકના ક્ષેત્રના મહારથી. જૂની રંગભૂમિ ઉપર ભજવાયેલાં નાટકો પણ એમણે લગભગ બધાં જ જોયેલાં. મુંબઈમાં આંખના નિષ્ણાત ડૉ. ડી. જી. વ્યાસ સંગીત અને નાટ્યકલાના પ્રેમી હતા. તેઓ પણ જૂની રંગભૂમિ પર ભજવાતાં નાટકોના શોખીન અને સારા અભ્યાસી હતા. કેટલાંયે નાટકોના સંવાદો ૧૪ર : ચરિત્રદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy