SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ રહે અને મુંબઈમાં મિટિંગ કે કાર્યક્રમ હોય ત્યારે આવે. એટલે એમના એક કાર્યક્રમના અંતે શ્રી ભૃગુરાયે મારા માટે મળવાનું ગોઠવ્યું હતું. મળ્યા ત્યારે ચંદ્રવદને કહ્યું કે ‘ઝાલાસાહેબ અને મનસુખલાલ ઝવેરી પાસેથી તમારું નામ તો ઘણાં વર્ષોથી સાંભળ્યું છે, પરંતુ પરિચય બહુ થયો નથી.” પછી મુખ્ય વાત કરતાં એમણે કહ્યું કે, “ગુજરાતી સાહિત્યના સંશોધનક્ષેત્રમાં તમે કામ કરો છો અને મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ છો. એટલે મારી ઇચ્છા તમને ફાર્બસ ગુજરાતી સભાની સમિતિમાં લેવાની છે.” મેં કહ્યું: “પણ હું તો ફાર્બસનો સભ્ય નથી.” તો તરત એમણે આજ્ઞા કરી કે “તરત સભ્ય થઈ જાવ.” પછી ભૃગુરાયને એ માટે તરત સૂચના આપી દીધી. હું ફાર્બસનો સભ્ય થયો અને પછી સમિતિમાં જોડાયો. ત્યાર પછી ચંદ્રવદનને અનેક વાર મળવાનું થયું. સમય જતાં એમની સાથે મજાક-મશ્કરી કરી શકાય એવી એક પ્રકારની અત્યંત નિકટની આત્મીયતા સધાઈ ગઈ. ફાર્બસ સમિતિમાં જોડાયા પછી ચંદ્રવદનને નિયમિત મળવાનું થતું ગયું. દરેક મિટિંગમાં પછીની મિટિંગની તારીખ નક્કી થઈ જાય, કારણ કે ચંદ્રવદન અનેક ઠેકાણે ફરતા ફરે. એમની ડાયરી ત્રણ-ચાર મહિના અગાઉથી ભરાયેલી હોય. કેટલીક વાર તો છ-આઠ મહિના પછીની એમની તારીખ કોઈક સંસ્થાએ કે યુનિવર્સિટીએ એમની પાસે નક્કી કરાવી લીધી હોય. ફાર્બસની અમારી મિટિંગ પૂરી થાય એટલે ચંદ્રવદન ડાયરી કાઢે. તારીખ વિચારાય. કોઈક તારીખ અને સૂચવીએ તો તેઓ ના પાડે. અમે પૂછીએ કે “તમે રોકાયેલા છો એ દિવસે ?” તો કહે “ના, રોકાયેલો નથી, પણ એ દિવસે અમાસ છે. દિવસ સારો નથી." ચંદ્રવદન જ્યોતિષના જાણકાર હતા અને શુભાશુભ દિવસ કે ચોઘડિયાનો અગાઉથી વિચાર કરતા. આમ છતાં તેઓ વહેમી નહોતા. ફાર્બસની અમારી મિટિંગમાં જ્યોતીન્દ્ર દવે મંત્રી હતા. ચંદ્રવદન અને જ્યોતીન્દ્ર બંને સમવયસ્ક. બાળપણ બંનેનું સુરતમાં વીતેલું. બંને નિરાંતે મળે એટલે સુરતનાં ઘણાં સંસ્મરણો વાગોળે. સુરતના એક જૂની પેઢીના પ્રકાશક બંનેનાં પુસ્તકો વગરપૂછે છાપી નાખે અને રોયલ્ટીની રકમ આપે નહિ. એ માટે જ્યોતીન્દ્ર પોતાનું દુઃખ વ્યક્ત કરે, પણ સૌજન્યશીલ સ્વભાવને કારણે લખે નહિ કે ઉઘરાણી કરે નહિ. ચંદ્રવદન રોયલ્ટીની બાબતમાં બેફિકર, પણ ખિજાય તો પ્રકાશકને ધધડાવીને કાગળ લખે. ચંદ્રવદન અને જ્યોતીન્દ્રનાં ઘણાં સ્મરણો આ રીતે અમારી મિટિંગમાં તાજાં થાય. મિટિંગના સમય કરતાં અડધો કલાક કે કલાક વહેલાં આવીને બંને બેઠા હોય. એમના અનુભવો સાંભળવા મળે એટલે હું પણ વહેલો પહોંચ્યો હોઉં. બંનેને કેટલાયે ચંદ્રવદન મહેતા - ૧૪૧ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy