SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ भद्रे कथय भवतां दशनार्थं क्वचिद् गृहम् । आगमिष्यामि, न पुनर निवासयेति शैलजे ॥ गुरवे तव सन्मित्रनर्मदाशंकराय च 1 स्नेह-सोहार्दपूर्णोऽयं नमस्कारो विधीयते ॥ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગ થયો તે વખતે પ્રોફેસરના હોદ્દા માટે ગુજરાતમાંથી કોણ યોગ્ય છે તેની વિચારણા ચાલેલી અને હંસાબહેન મહેતા તથા રમણલાલ વસંતલાલ દેસાઈની ઇચ્છા એવી હતી કે એ સ્થાને ઉમાશંકર આવે તો સારું. પરંતુ ઉમાશંકરે કહેલું કે પોતે અરજી નહિ કરે. પોતાને નિમંત્રણ આપવામાં આવે તો કદાચ તેઓ સ્વીકારે. યુનિવર્સિટીના નિયમ અનુસાર અરજી કરવી અનિવાર્ય હતી, પરંતુ ઉમાશંકરે અરજી કરી નહિ અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ઉમાશંકર જોડાયા નહિ. પરંતુ ત્યાર પછી કેટલાંક વર્ષે ગુજરાત યુનિવર્સિટીમાં જ્યારે ગુજરાતીના પ્રોફેસરની પોસ્ટ જાહેર કરવામાં આવી તે વખતે ઘણા મિત્રો અને વડીલોના દબાણને વશ થઈ ઉમાશંકરે ગુજરાત યુનિવર્સિટીમાં અરજી કરી હતી. તેઓ યુનિવર્સિટીમાં જોડાયા અને ગુજરાતીના અધ્યાપક અને વિભાગના અધ્યક્ષ તરીકે ઘણાં વર્ષો સુધી કામ કર્યું અને ત્યાર પછી એ યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે પણ તેમણે સેવા આપી. યુનિવર્સિટીમાં એ સ્થાને આવ્યા પછી ઉમાશંકરની જવાબદારીઓ, સંપર્કો, પ્રવૃત્તિઓ એટલાં બધાં વધી ગયાં કે પછીથી એમને નિરાંતે મળવાનું દુર્લભ થવા લાગ્યું. ઘણે ઠેકાણે હાજરી આપવાની હોય, સમય સાચવવાનો હોય અને કામો કરવાનાં હોય એટલે ઇચ્છા હોવા છતાં પણ પોતે બધાંની સાથે પહેલાંની જેમ મુક્ત મનથી હળીમળી શકતા નહોતા. અમૃતસ૨માં પી.ઈ.એન.ના સંમેલનમાં તેઓ નિરાંતે મળ્યા ત્યારે એ વિશે મેં એમનું ધ્યાન દોરેલું. મુંબઈમાં અમારે ઘરે ઊતરવા માટે જ્યોત્સ્નાબહેને આપેલા વચનની યાદ અપાવેલી અને પોતે વચન જરૂર પાળશે એવી ખાતરી આપેલી. મુંબઈમાં ઉમાશંકર આવે ત્યારે ઉમેદભાઈ મણિયાર, વાડીલાલ ડગલી કે અન્ય કોઈના ઘરે ઊતરે. અમારા ઘરે ઊતરવા માટે અગાઉથી અમે પત્ર લખતા ત્યારે ત્રણેક વાર તેઓ અમારા ઘરે ઊતરેલા. “અમારું ઘર નાનું છે એટલે અગવડ તો નહિ પડે ને ?'' એમ અમે પૂછેલું ત્યારે એમણે કહેલું કે “માણસને સૂવા માટે છ ફૂટની જગ્યા જોઈએ. એટલી જગા મળી રહે ત્યાં ગમે તે સ્થળે ઊતરી શકાય. ઉમેદભાઈના ઘરે જો હું ઊતરી શકું તો તમારા ઘરે ઊતરવામાં કોઈ પ્રશ્ન જ ન હોય.” સાદાઈથી જીવન જીવવાની એમની પાસે સરસ કળા હતી. છેલ્લે ઉમાશંકર અમારે ત્યાં આવેલા ત્યારે શિયાળામાં દિલ્હીથી આવેલા ઉમાશંકર જોશી * ૧૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy