SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ભાલણના કહેવાતા બીજા નળાખ્યાન'ની બનાવટ કેવી રીતે થઈ છે તેની સાબિતીઓ મેં જ્યારે એમને બતાવી ત્યારે તેઓ ખૂબ રાજી થયા હતા. ઉમાશંકર જ્યારે કોઈ કાર્યક્રમ માટે મુંબઈમાં આવે ત્યારે એમને મળવા માટે સમયની ઘણી ખેંચ રહે. કેટલીક વાર તો જાહેર કાર્યક્રમને અંતે એમને મળવા એટલા બધા સાહિત્યકારો, મિત્રો, ચાહકો હોય કે માંડ બે મિનિટ પણ વાત કરવાની તક મળે તો મળે. પરંતુ એમને નિરાંતે મળવાનો એક ઉપાય તે સ્ટેશન ઉપર જઈ ટ્રેનના ડબામાં મળવાનો હતો. તેઓ અમદાવાદ પાછા ફરતા હોય ત્યારે બોમ્બે સેન્ટ્રલ ઉપર ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં અડધા કલાક પહેલાં તેઓ પોતે ઘણુંખરું એકલા બેઠા હોય. આવી રીતે બોમ્બે સેન્ટ્રલ સ્ટેશન પર તેમને કેટલીય વાર મળ્યો છું. એક વખત એ રીતે તેમને મળવા માટે ગયો હતો ત્યારે સંસ્કૃતના અધ્યાપક પંડિત શ્રી નર્મદાશંકર શાસ્ત્રી પણ ત્યાં આવેલા. તેમની સાથે ઉમાશંકર સંસ્કૃતમાં વાતચીત કરતા. તે વખતે ઉમાશંકરે મને ભલામણ કરતાં કહ્યું કે હવે તો મુંબઈમાં સ્કૂલકૉલેજમાંથી સંસ્કૃત ભાષા નીકળતી જાય છે. તમે તમારાં બંને બાળકોને અત્યારથી જ સંસ્કૃત ભાષા શીખવવાનું ચાલુ કરી દો. વળી એ શીખવવા માટે તરત એમણે એમના વતનના મિત્ર નર્મદાશંકર શાસ્ત્રીને ભલામણ કરી. એ સમયથી શાસ્ત્રીજી નિયમિત અમારાં બંને સંતાનોને સંસ્કૃત ભણાવવા માટે ઘરે આવવા લાગ્યા અને ત્રણેક વર્ષમાં તો અમારી પુત્રી ચિ. શૈલજા સંસ્કૃત ભાષામાં વાતચીત અને ભાષણ પણ કરવા લાગી હતી. એની આ પ્રગતિ જોઈ ઉમાશંકરને ઘણો હર્ષ થયો હતો. તેમણે શૈલજાને સંસ્કૃતનો મહાવરો ચાલુ રાખવાની ભલામણ કરેલી અને દાખલો આપતાં કહેલું કે પોતાની પુત્રી સ્વાતિ સ્પેનિશ ભાષા સરસ શીખી હતી, પણ હવે ભારતમાં મહાવરો રહ્યો નથી એટલે ભૂલવા લાગી છે. તેઓ શૈલજાને ક્યારેક સંસ્કૃતમાં શ્લોકરૂપે પત્ર લખતા. શૈલજા ઇંગ્લેન્ડ, યુરોપના પ્રવાસેથી પાછી આવી ત્યારે એમણે લખ્યું હતું ? सत्पुत्रि शैलजे देवभाषाविद्या विभूषिते । तन्मे कथय यत् प्राप्तं तत्राङ्लदेशदर्शने । ચિ. શૈલજા મુંબઈ યુનિવર્સિટીમાં ઈન્ટર આ ભધ્યમા)ની પરીક્ષામાં વીસ હજાર વિદ્યાર્થીઓમાં પ્રથમ નંબરે આવી એ સમાચાર જાણીને પોતાનો આનંદ નીચેના શ્લોકમાં વ્યક્ત કરતો પત્ર એમણે ચિ. શૈલજાને લખ્યો હતો : प्रथमा मध्यमायां त्वं परीक्षायां तु राजसे । सदाप्रिया सरस्वत्याः संप्रसादं समाप्नुहि ॥ मुम्बापुर्यां वसिष्यामि कांश्चिद् वै दिवसानहम् । पूज्यां मातामहीं वत्से पितरौ भ्रातरं तथा ॥ ૧૩ર જ ચરિત્રદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy