SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ ઉમાશંકર જોશી ઉમાશંકર જોશી એટલે ગુજરાત અને ગુજરાતી સાહિત્યનું નામ આંત૨ભારતીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સુખ્યાત બનાવનાર આપણા લાડીલા કવિ, વિવેચક અને સંસ્કારપુરુષ. ગાંધીજી અને કાકા કાલેલકરની છત્રછાયા હેઠળ જીવન-ઘડતર કરનાર, બ્રાહ્મણત્વના શ્રેષ્ઠ સંસ્કાર ધરાવનાર, વેદ અને ઉપનિષદકાળના ઋષિની યાદ અપાવનાર સ્વ. ઉમાશંકર જોશીએ એક ગુજરાતી કવિ કે સાહિત્યકાર તરીકે જીવનમાં જે સિદ્ધિઓ મેળવી તે ઘણી મોટી હતી. રણજિતરામ સુવર્ણચંદ્રક, ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખસ્થાન, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિનું પદ, જ્ઞાનપીઠનો એવૉર્ડ, સાહિત્ય અકાદમીનું પ્રમુખસ્થાન, કેન્દ્રની રાજ્યસભાનું સભ્યપદ, વિશ્વભારતી વિશ્વવિદ્યાલયનું ઉપકુલપતિપદ જેવી માનભરી સિદ્ધિઓ મેળવવા તેઓ સદ્ભાગી બન્યા હતા. આ બધી જ સિદ્ધિઓ આયાસ કે ખટપટ કરીને નહિ, પરંતુ કેવળ પોતાની ગુણવત્તાને ધોરણે તેમણે પ્રાપ્ત કરી હતી. તેઓ સત્ય, ન્યાય, નીતિ અને પ્રામાણિકતાના જીવનભર ઉપાસક રહ્યા હતા. ‘ઋત’ એમના જીવનનો મંત્ર હતો. તેમની ઋતની ઉપાસના અખંડ હતી. અસત્ય કે દંભનો આશ્રય લઈ આયાસપૂર્વક કશુંક પ્રાપ્ત કરી લેવાનું કે પોતાનો બચાવ કરવાનું તેમણે કદી વિચાર્યું નહોતું. એમના અંતરમાં એક બાજુ જેમ કાર્યસિદ્ધિની આકાંક્ષા રહી હતી તેમ બીજી બાજુ અનાસક્તિ પણ રહેલી હતી. પોતાની ભૌતિક એષણાઓને તેઓ ક્યારેય વાચા આપતા નહિ. યથાશક્ય તેઓ નિઃસ્પૃહ કે ઉદાસીન રહેતા. સંબંધો બાંધીને કશુંક મેળવી લેવાની ઝંખના તેઓ ક્યારેય રાખતા નહિ. જેમ પત્રવ્યવહારની બાબતમાં તેમ મિત્રો સાથેના સંબંધોની બાબતમાં પણ, જૂજ અપવાદ સિવાય, તેઓ ઉમાશંકર જોશી * ૧૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy