SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ દરદીની ખબર જોવા આવ્યા હો એવા લાગો છો." ઓપરેશન થયું ત્યાર પછી એમના જીવનનો એક નવો તબક્કો ચાલુ થયો. કેન્સરની ગાંઠ છે અને તે ઘણી પ્રસરી ગઈ છે એ પ્રકારનું નિદાન થયા પછી અને બાયપાસ સર્જરી થયા પછી ચીમનભાઈને અસહ્ય પીડા થવા લાગી. ક્યારેક એમને રાહત મળે તે માટે ઘેનનાં ઇજેક્શન પણ અપાયાં. તેઓ ઘણુંખરું પથારીમાં સૂતા હોય અને ઊંઘતા હોય અથવા અર્ધજાગ્રત દશામાં હોય. હવે એકસાથે વધારે સમય બેસવાની કે વાત કરવાની એમની શક્તિ ઘટતી જવા લાગી. જે બોલે તેમાં પણ વાક્ય પૂરું થતાં ઠીક ઠીક વાર લાગતી. એવે સમયે પણ એમણે પ્રબુદ્ધ જીવન’ માટે લેખ લખાવ્યો. આ દિવસો દરમિયાન એમનું ધર્મચિંતન સવિશેષપણે ચાલ્યું. ધર્મ પ્રત્યે તેઓ પૂરી આસ્થાવાળા હતા. પરંતુ તેઓ બુદ્ધિશાળી હતા તેથી તર્કસંગત વાત સ્વીકારવાનું તેમને વધારે ગમતું. પરંતુ હવે તેઓ કંઈ વિશેષ ભાવાર્દ્ર બન્યા હતા. આ વિશ્વનાં તમામ ગૂઢ રહસ્યોનો તાગ મેળવવાનું ગજું મનુષ્યની બુદ્ધિમાં નથી અને એથી પરમ તત્ત્વ પ્રત્યેની શરણાગતિનો ભાવ જ મહત્ત્વનો છે, એ વાત ઉપર તેઓ ભાર મૂકવા લાગ્યા હતા. તેઓ જુદાં જુદાં ધર્મસ્તોત્રોનું રટણ કરતા હતા, પરંતુ તે યંત્રવત્ બની જાય ત્યારે બંધ કરી દેતા હતા. ઓપરેશન પછી ચીમનભાઈ માત્ર પ્રવાહી ખોરાક જ લઈ શકતા અને તે પણ અલ્પ પ્રમાણમાં. પરિણામે તેમનું શરીર દિવસે દિવસે ક્ષીણ થવા લાગ્યું. ચહેરો પણ કરમાવા લાગ્યો. તેમને ઘરે લાવવામાં આવ્યા, જેથી વાતાવરણ થોડું બદલાય. તેમને કેન્સર છે એવી ડૉક્ટરોએ જાણ કરી દીધી હતી અને ચીમનભાઈ પોતે પણ મળવા આવનારાઓને પૂરી સ્વસ્થતાપૂર્વક કહેતા, “મને કેન્સર છે. આ હવે મારા અંતિમ દિવસો છે.” દિવાળીને દિવસે સાંજે અશક્તિ હોવા છતાં બહારના રૂમમાં આવીને સોફા પર તેઓ બેઠા હતા. પ્રબુદ્ધ જીવનનો છેલ્લો અંક વાંચતા હતા. હું તેમને મળવા ગયો ત્યારે એમને બહાર બેઠેલા જોઈને ઘણો હર્ષ થયો અને એમ થયું કે આ રીતે જો તબિયત સુધરતી જાય તો બે-ચાર મહિના કશો જ વાંધો નહિ આવે. એ દિવસે તેઓ વધારે સારી રીતે બોલી શકતા હતા. અલબત્ત, તેઓ વાત કરતાં કરતાં ઘડી ઘડી ભાવાર્દ બની જતા હતા. આંખમાં આંસુ આવી જતાં હતાં. એમણે કહ્યું, “જેમ જેમ મૃત્યુ પાસે આવે છે તેમ તેમ આ સંસાર અસાર છે, બધું જ મિથ્યા છે એવો ભાસ દઢ થતો જાય છે. આમ છતાં મનુષ્ય સંસારમાં આટલો બધો આસક્ત કેમ રહ્યા કરે છે એ એક મોટો કોયડો છે !” દિવાળીને દિવસે રાત્રે એમને લોહીની ઊલટી થઈ. ડોક્ટરોની દષ્ટિએ એ ૧૨૪ ચરિત્રદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy