SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ તથા બોલવામાં, લખવામાં, વિચારવામાં, યાદ રાખવામાં, ટટ્ટાર ચાલવામાં તેઓ જે ફુર્તિ દાખવતા તે જોતાં તેમની શક્તિ ક્ષીણ થતી જાય છે તેવું જરા પણ લાગે નહિ. છેલ્લાં કેટલાંક વર્ષોથી તેઓ મુંબઈ બહાર બહુ ઓછું તા, પરંતુ મુંબઈમાં અનેક સભાઓમાં તેઓ સમયસર પહોંચી જતા અને પોતાનું સચોટ વક્તવ્ય રજૂ કરતા. તેમની સ્મરણશક્તિ તીવ્ર હતી અને અનેક વ્યક્તિઓ વિશે, ગ્રંથો વિશે, સોલિસિટર તરીકેના પોતાના વ્યવસાયની બાબતો વિશે ઘણીબધી વાતો સ્મૃતિને આધારે તરત કહી શકતા. તેઓ પોતાનાં રોકાણો માટે કોઈ નોંધ રાખતા નહિ; પરંતુ ચાર-છ મહિના સુધીમાં પોતાનાં રોકાણોની તારીખો તેમને સહજ રીતે યાદ રહેતી. એવું ક્યારેય સાંભળ્યું નથી કે ચીમનભાઈએ સ્મૃતિદોષને કારણે એક જ દિવસે અને સમયે બે રોકાણો સ્વીકારી લીધાં હોય, અથવા કોઈ સ્થળે જવાનું ભૂલી ગયા હોય. જીવનના અંતિમ સમય સુધી એમની સ્મૃતિશક્તિને કશી જ અસર પહોંચી નહોતી. એક દિવસ રાત્રે હું એમને ઘરે મળવા ગયો હતો, પરંતુ તેઓ રોજની જેમ સોફા પર બેસી વાંચતા નહોતા, પથારીમાં સૂઈ ગયા હતા. મેં પૂછ્યું તો કહ્યું. પેટમાં બહુ જ દુઃખે છે. કશું ખવાયું નથી. ઊલટી થાય એવું થયા કરે છે. ડૉક્ટરને બોલાવ્યા છે. આજે સાંજે એક કાર્યક્રમમાં મનની પૂરી સ્વસ્થતાથી બોલ્યો, પરંતુ આખો વખત પેટમાં સતત દુખ્યા કરતું હતું.” હું બેઠો હતો ત્યાં ડૉક્ટર આવ્યા. એમને તપાસીને ડૉક્ટરે કહ્યું કે હૉસ્પિટલમાં જઈને નિદાન કરાવવાની જરૂર છે. બે દિવસ પછી હૉસ્પિટલમાં તેઓ દાખલ થયા. ચીમનભાઈ ઘરનાં સ્વજનોને કેટલોક સમય પહેલાંથી કહેતા રહ્યા હતા : “મને હમણાં હમણાં પેટમાં વારંવાર જે દુખાવો થયા કરે છે તે કેન્સરનો જ હોવો જોઈએ અને આ કેન્સરને કારણે થોડા સમયમાં મારું જીવન પૂરું થશે.” આવું કહેતી વખતે એમના ચહેરા ઉપર કે એમની વાણીમાં ચિંતા કે ગભરાટનો જરાસરખો પણ અંશ જણાતો નહિ. નિદાન માટે તેઓ જેન ક્લિનિકમાં દાખલ થયા અને ત્યાર પછી પેટનું ઓપરેશન થયું ત્યાં સુધીના દિવસો દરમિયાન તેઓ સવારથી સાંજ સુધી હોસ્પિટલમાં તેમની ખબર જોવા આવનાર અનેક લોકોને મળતા, વાતો કરતા અને પોતાની જીવનલીલા હવે પૂરી થવામાં છે એવાં ગર્ભિત સૂચનો પણ કરતા. હૉસ્પિટલમાં પણ ક્યારેક તેઓ ખાટલા પર સૂવાને બદલે બહાર લોબીમાં સોફા પર બેઠા હોય અને બધાની સાથે હસીને વાતો કરતા હોય. એક વખત મેં કહ્યું પણ ખરું, “કાકા, અત્યારે તમે પોતે કોઈ દરદી જેવા લાગતા નથી, પરંતુ જાણે ચીમનલાલ ચકુભાઈ શાહ - ૧૨૩ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy