SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ પન્નાલાલ હાઈસ્કૂલમાં તથા ભરડા હાઈસ્કૂલમાં લઈને ચીમનભાઈએ તેજસ્વી કારકિર્દી સાથે મૅટ્રિકની પરીક્ષા ૧૯૧૯માં અમદાવાદમાં આપી હતી. એ જમાનામાં મેટ્રિક સુધીનો અભ્યાસ ઓછો ન ગણાતો. પરંતુ ચીમનભાઈની ઇચ્છા કૉલેજમાં અભ્યાસ કરવાની હતી. નબળી આર્થિક સ્થિતિને કારણે પિતાશ્રીની ઇચ્છા એમને નોકરીએ બેસાડવાની હતી. છેવટે એક વર્ષ માટે એલ્ફિન્સ્ટન કૉલેજમાં દાખલ થયા. કૉલેજમાં શિષ્યવૃત્તિ મળતાં કુટુંબ ઉપર ભણવાનો આર્થિક બોજો નહોતો એટલે અભ્યાસ કરવાની મર્યાદા લંબાવાઈ. એમ કરતાં તેઓ બી.એ, એમ.એ. ને એલએલ.બી. થયા. ઘણુંખરું પહેલો નંબર મેળવતા. તેમણે તેલંગ સુવર્ણચંદ્રક તથા બીજા ચંદ્રકો પણ મેળવ્યા હતા. એ દિવસોમાં સુશિક્ષિતોમાં એકબીજાને નામના આદ્યાક્ષરથી બોલાવવાની પદ્ધતિ વિશેષ પ્રચલિત હતી. ચીમનલાલ ચકુભાઈ એટલે “સી.સી.” એલ્ફિન્સ્ટનમાં એમની સાથે બીજા પણ એક સી.સી. હતા, તે આપણા જાણીતા કવિ અને નાટ્યકાર ચંદ્રવદન ચીમનલાલ મહેતા. એમનાં વર્ષોમાં એમની સાથેના બીજા તેજસ્વી વિદ્યાર્થીઓમાં અશોક મહેતા, યુસુફ મહેરઅલી, મીનુ મસાણી, સીરવાઈ (એડવોકેટ જનરલ), કવિ ભાનુશંકર વ્યાસ (બાદરાયણ), કવિ સુંદરજી બેટાઈ, કવિ અમીદાસ કાણકિયા વગેરે હતા. વિદ્યાર્થીકાળે ચીમનભાઈનો સ્વભાવ સંકોચશીલ હતો. તેનું મુખ્ય કારણ એ હતું કે બોલતી વખતે તેમની જીભ તોતડાતી હતી. બીજું કારણ નબળી આર્થિક સ્થિતિ હતી. પરંતુ તેમનામાં ગજબનો આત્મવિશ્વાસ હતો. તેમણે દઢ સંકલ્પ કર્યો હતો કે તોતડાપણા ઉપર વિજય મેળવવો અને ડોમોસ્થિનિસની જેમ સારા વક્તા થવું તથા પ્રબળ પુરુષાર્થ કરી આર્થિક સ્થિતિ સુધારવી. બી.એ. અને એમ.એ.માં એમણે મુખ્ય વિષય તત્ત્વજ્ઞાનનો લીધો હતો. પ્લેટો, સોક્રેટિસ, એરિસ્ટોટલ, કેન્ટ, હેગલ વગેરેનાં લખાણોની એમના જીવન ઉપર મોટી અસર પડી અને તર્કયુક્ત વિચારણાની ટેવ પડી હતી. એલએલ.બી.ના અભ્યાસથી દરેક પરિસ્થિતિનો બારીકાઈથી વિચાર કરવાની અને શબ્દેશબ્દ તોળીતોળીને બોલવા-લખવાની ટેવ પડી હતી. અભ્યાસના સતત પરિશ્રમને લીધે ૧૯૨૮માં સોલિસિટર થતાં સુધીમાં તો ચીમનભાઈને આંતરડાનો ક્ષયનો રોગ લાગુ પડ્યો હતો. ઓપરેશન કરાવવું પડ્યું અને ડૉક્ટરોએ મુંબઈ છોડવાની સલાહ આપી. પણ મુંબઈ સિવાય સોલિસિટરનો વ્યવસાય ચાલે નહિ, એટલે ગમે તે સંજોગોમાં મુંબઈમાં રહેવાનો જ નિશ્ચય કર્યો. એવા નબળા શરીર પાસેથી પણ મજબૂત મનથી એમણે કામ લીધા કર્યું. કોલેજમાં હતા ત્યારથી જ ચીમનભાઈને જાહેર જીવનની પ્રવૃત્તિમાં રસ હતો. ચીમનલાલ ચકુભાઈ શાહ ૧૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy