SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ જાણવા મળી હતી. મોરારજીભાઈ મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા ત્યારે એમની કીર્તિનો મધ્યાહન ઝળહળતો હતો. પરંતુ એમના આખાબોલા સ્વભાવને કારણે કેટલાંક વર્તુળોમાં તેઓ અળખામણા થયા હતા. બીજી બાજુ, મોરારજીભાઈ પોતે સ્વચ્છ હોવા છતાં એમના નામનો દુરુપયોગ થવા લાગ્યો હતો. થોડેઘણે અંશે મોરારજીભાઈ પોતે પણ એ વિશે જાણતા હશે. આવી વાતો રાજદ્વારી વર્તુળોમાં પ્રસર્યા વગર રહે નહિ. પોતાનાં સગાંસંબંધીઓ દ્વારા ઉઠાવાતા સત્તાના ગેરલાભો કેટલીક વાર ગેરકાયદેસરના નથી હોતા, પરંતુ એથી નેતાની પ્રતિભાને ઝાંખપ તો લાગે જ છે અને લાંબે ગાળે એવી વાતો નેતાની પ્રગતિને રૂંધે છે. મોરારજીભાઈના જીવનમાં પણ એવી વાદળી આવીને પસાર થઈ ગઈ હતી એમ મનાય છે. મોરારજીભાઈની શક્તિ જોતાં નહેરુએ ૧૯૫૬માં એમને કેન્દ્રમાં પ્રધાન બનાવ્યા હતા. ત્યારે સિનિયોરિટીમાં એમનો નંબર ચોથો હતો. નહેરુ પછી મૌલાના આઝાદ અને ગોવિંદ વલ્લભ પંત હતા અને ચોથે સ્થાને મોરારજીભાઈ હતા. મૌલાના આઝાદ અને ગોવિંદ વલ્લભ પંતનાં અવસાન થતાં મોરારજીભાઈ બીજે નંબરે આવ્યા. નહેરુને એ ગમ્યું નહિ, કારણ કે પોતે ન હોય ત્યારે મોરારજીભાઈ વડાપ્રધાન બને. નહેરુની ઇચ્છા પોતાની ગાદી ઇન્દિરાને સોંપવાની હતી. એટલે નહેરુએ કામરાજ યોજનાની ચાલબાજી ઊભી કરી અને પક્ષના સંગઠન માટે પોતે સત્તા પરથી નિવૃત્ત થાય છે એવો દંભ કરી પોતે સત્તા પર રહ્યા અને મોરારજીભાઈને દૂર કર્યા. ત્યારથી મોરારજીભાઈનાં વળતાં પાણી જણાયાં. પછી તો લાલબહાદુર શાસ્ત્રી અને છાન્દરા ગાંધી વડાપ્રધાન બન્યાં. છેવટે મોરારજીભાઈએ નાયબ વડાપ્રધાનનું પદ સ્વીકાર્યું. પરંતુ ગાંધીજીની જન્મશતાબ્દી પ્રસંગે હરિજનને રાષ્ટ્રપતિ બનાવવા અને એ પદ જગજીવનરામને આપવું એવો આગ્રહ ઇન્દિરા ગાંધીનો હતો અને એની સામે મોરારજીભાઈનો વિરોધ હતો કે ગજીવનરામ દસ વર્ષથી પોતાનો ઈન્કમ ટેક્સ ભરતા નથી. એવી વ્યક્તિને રાષ્ટ્રપતિ બનાવવામાં ભારતની લોકશાહીને લાંછન લાગશે, માટે સંજીવ રેડીને રાષ્ટ્રપતિ બનાવવા જોઈએ. આ મુદ્દા ઉપર છેવટે કૉંગ્રેસમાં ભંગાણ પડ્યું. મોરારજીભાઈનું નાણાખાતું ઇન્દિરા ગાંધીએ છીનવી લીધું અને છેવટે મોરારજીભાઈએ નાયબ વડાપ્રધાનનું પદ છોડ્યું. આ ઝઘડામાં રાષ્ટ્રપતિના પદ માટે ફાવી ગયા વી. વી. ગીરી. મોરારજીભાઈ સ્વસ્થ રહેતા. પોતાને માટે જાગેલ ગમે તેવા વિવાદ વખતે પણ તેઓ પોતાની સમતુલા ગુમાવતા નહિ. પરંતુ પોતાના એ જ સગુણને તેઓ ક્યારેક નિષ્ફરતાની કોટિ સુધી લઈ જતા ત્યારે લોકોમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડતા. મોરારજી દેસાઈ - ૧૦૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy