SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ હોય, તેઓ પોતાના જમવાના સમયની સ્પષ્ટતા કરતા. જે કોઈ એ સમય સાચવી શકે તેનું જ નિમંત્રણ સ્વીકારતા. ઘાટકોપરમાં એક વખત એમના પ્રમુખપદે સભા યોજાઈ હતી. સભા પછી શ્રી દુર્લભજી ખેતાણીને ત્યાં એમને જમવાનું હતું. દુર્લભજીભાઈએ ચીમનલાલ ચકુભાઈને તથા મને નિમંત્રણ આપ્યું હતું. સભામાં પહેલા બે-ત્રણ વક્તાઓ લાંબું બોલ્યા, પરંતુ મોરારજીભાઈએ તો પોતાનો સમય થયો એટલે બીજા વક્તાઓને પડતા મૂકી પોતાનું વક્તવ્ય ચાલુ કરી દીધું અને તરત સભા પૂરી કરીને દુર્લભજીને ત્યાં પહોંચી ગયા હતા. આહારમાં મોરજીભાઈ લસણ નિયમિત લેતા. રોજ લસણની દસબાર કાચી કળી તેઓ ખાતા, એથી પોતાનું સ્વાથ્ય સારું રહે છે એમ કહેતા. તેઓ દૂધ ગાયનું પીતા, માખણ ગાયના દૂધનું ખાતા. પોતે સત્તા પર પ્રધાન કે વડાપ્રધાન પદે રહ્યા હતા ત્યારે એમના મંત્રી દરેક સ્થળે અગાઉથી સૂચના આપી સ્થાનિક કાર્યકર્તાઓ પાસે આ બધી સગવડ કરાવતા. મને યાદ છે કે એક વખત નડિયાદમાં એક કાર્યક્રમમાં મોરારજીભાઈ આવવાના હતા ત્યારે આગલા દિવસે રાત્રે અગિયાર વાગે કાર્યકર્તાઓને યાદ આવતાં ગાયના દૂધના માખણ માટે દોડાદોડ કરી મૂકી હતી. મોરારજીભાઈ ક્યારેક આકરા સ્વભાવના બની જતા. ક્યારેક હઠીલા અને ઉતાવળિયા પણ બનતા. એમ છતાં લોકોમાં અને ખાસ કરીને ગુજરાતના ગુજરાતીઓમાં તેમને માટે માનભર્યું સ્થાન હતું. તેમને માટે “સર્વોચ્ચ' શબ્દ રૂઢ થઈ ગયો હતો. પરંતુ જૂના મુંબઈ રાજ્યમાં જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર સાથે હતાં ત્યારે ડાંગના પ્રશ્નની બાબતમાં મોરારજીભાઈએ અભિપ્રાય આપવાની જે ઉતાવળ કરી હતી તેને લીધે ગુજરાતની પ્રજા નારાજ થઈ હતી. મુંબઈ રાજ્યમાં જ્યારે બી. જી. ખેર મુખ્યમંત્રી હતા અને મોરારજીભાઈ નાયબ મુખ્ય મંત્રી હતા એ વખતે ખેરની સાથે મોરારજીભાઈએ ડાંગ જિલ્લાની ઊડતી મુલાકાત લીધી અને બે-ચાર ગામ પાસેથી જીપમાં પસાર થતા લોકો સાથે વાતચીત કરી અને તે લોકો મરાઠીમાં બોલ્યા એટલે મોરારજીભાઈએ મુંબઈમાં આવીને જાહેરાત કરી કે ડાંગની ભાષા મરાઠી છે. મોરારજીભાઈની આ જાહેરાત ઉતાવળી અને અભ્યાસ વગરની હતી. એને લીધે મુંબઈ રાજ્યના વિભાજન વખતે ગુજરાતને ઠીક ઠીક સહન કરવું પડ્યું હતું. ડાંગ જિલ્લાના નેતાઓ સ્વ. છોટુભાઈ નાયક અને બીજાઓ સાથે ડાંગમાં જઈને મેં આ અંગે વાતચીત કરી હતી ત્યારે ખેરસાહેબના અધિકારીઓએ લોકો પાસે મરાઠીમાં બોલાવવાનું કેવી રીતે નાટક ગોઠવ્યું હતું તેની બધી વિગત જાણવા મળી હતી. ડાંગ મહારાષ્ટ્રમાં જાય નહિ તે માટે તેઓને કેટલો બધો પ્રતિકાર કરવો પડ્યો હતો અને ગામેગામ જઈને પ્રચાર કરવો પડ્યો હતો તેની કડીબદ્ધ વિગતો ૧જ આ ચરિત્રદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy