SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ થયો હતો. ત્યારે તેઓ મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. તે વર્ષે હું બેલગામમાં લશ્કરી તાલીમ લેવા ગયો હતો. બેલગામ ત્યારે મુંબઈ રાજ્યમાં હતું. મોરારજીભાઈ રાજ્યના મુખ્યમંત્રી તરીકે બેલગામના મિલિટરી સેન્ટરની મુલાકાત લેનાર હતા. તેઓ અમારી પરેડની સલામી લેનાર હતા અને મિલિટરી મેસમાં અમારી સાથે ભોજન લેનાર હતા. આઝાદી પછી હજુ થોડા જ વર્ષ પસાર થયાં હતાં. બ્રિટિશરોની લશ્કરી એટિકેટ હજુ ચાલુ જ હતી. એટિકેટનો મુખ્ય પ્રશ્ન આ હતો: મિલિટરી મેસમાં કે પરેડના મેદાનમાં કોઈ પણ વ્યક્તિ ચંપલ પહેરીને જઈ ન શકે. બૂટમોજાં પહેરીને જ જવું પડે. વળી કોઈ પણ વ્યક્તિ મેસમાં ભોજન માટે ધોતિયું કે પાયજામો પહેરીને ન જઈ શકે, પેન્ટ જ પહેરવું પડે. મોરારજીભાઈ ધોતિયું અને ચંપલ પહેરીને આવવાના હતા. વડાપ્રધાન જવાહરલાલ બૂટ પહેરતા અને ધોતિયું નહોતા પહેરતા. એમનાથી લકરી ઑફિસરો ટેવાઈ ગયા હતા, પરંતુ ધોતિયું અને ચંપલથી હજુ ટેવાયા નહોતા. મિલિટરીમાં એટિકેટનો એટલે કે શિષ્ટાચારનો ભંગ એ ઘણી ગંભીર બાબત ગણાય. વસ્તુતઃ ગુનો જ લેખાય. મોરારજીભાઈ માટે બૂટમોજાં અને લશ્કરી યુનિફોર્મ તૈયાર રાખવામાં આવ્યાં હતાં, પરંતુ એ કહેવાની હિંમત કોણ કરે અને જો તેઓ ન માને તો શું થાય? અમારા કમાન્ડિંગ ઓફિસર આ બાબતમાં જે બહુ ગુસ્સામાં હતા તે છેલ્લી ઘડીએ ઢીલા પડી ગયા. અમારી ઓફિસરોની મિટિંગમાં તેમણે જાહેર કર્યું કે, “આપણાથી કશું કહી શકાશે નહિ. એટિકેટનો ભંગ થાય તે જોયા કરવો પડશે.” મોરારજીભાઈ મુલાકાત માટે આવ્યા. તેઓ પ્રસન્નવદન હતા, પણ અમારા કમાન્ડિંગ ઓફિસરના ચહેરા પર કૃત્રિમ પ્રસન્નતા હતી. બીજા ઓફિસરો પણ ઝંખવાણા પડી ગયા હતા. મોરારજીભાઈએ અમારી સાથે ધોતિયું અને ચંપલ પહેરીને ભોજન લીધું. બેલગામના મિલિટરી સેન્ટરમાં પહેલી વાર એટિકેટના ભંગરૂપ ઐતિહાસિક ઘટના બની ગઈ. ભોજન પછી અમે બધા ઓફિસરો બેઠકના ખંડમાં બેઠા. તેમની સાથે વાત કરવાની મને પણ તક મળી. ઑફિસરમાં ગુજરાતી તરીકે હું એક જ હતો. હું લશ્કરી તાલીમ લઉં છું એ જાણીને એમને આનંદ થયો. વળી હું જૈન છું એ જાણીને એમને આશ્ચર્ય થયું. ખાનપાનમાં મને કંઈ મુશ્કેલી નથી પડતી અને મને યોગ્ય શાકાહાર મળી રહે છે એ જાણીને એમને સંતોષ થયો હતો. હું કઈ કોલેજમાં કયો વિષય ભણાવું છું તે પણ એમણે મને પૂછ્યું. થોડી મિનિટ માટેની આ અમારી અનૌપચારિક વાતો એમને માટે તો અનેકમાંની એક હતી. એમને યાદ પણ ન રહે, પણ પચીસ વર્ષની વયે મને રાજ્યના મુખ્યમંત્રી સાથે વાત કરવાની તક મળી એ મારે માટે ૧૦૨ ચરિત્રદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy