SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ હતો. જવાહરલાલનો સીધો વડાપ્રધાન તરીકેનો અનુભવ હતો. રાજ્યકક્ષાનો કશો અનુભવ નહોતો. તેવી જ રીતે ઇન્દિરા ગાંધીને પણ રાજ્યકક્ષાનો અનુભવ નહોતો. રાજીવ ગાંધીને તો ધારાસભા કે લોકસભાના સભ્ય તરીકેનો કે રાજ્ય કે કેન્દ્રના કોઈ પ્રધાન તરીકેનો પણ અનુભવ નહોતો. મોરારજીભાઈને ધારાસભાના સભ્ય તરીકે, કેન્દ્રના પ્રધાન તરીકે, નાયબ વડાપ્રધાન તરીકે અને વડાપ્રધાન તરીકેનો અનુભવ હતો. આટલા બધા પ્રકારનાં સત્તાસ્થાન ૫૨ ૨હેલી હજુ સુધી કોઈ એક વ્યક્તિ હોય તો તે મોરારજીભાઈ દેસાઈ છે. વળી, તેઓને બ્રિટિશ શાસનકાળ દરમિયાન બ્રિટિશ રાજ્યતંત્રમાં પણ ડેપ્યુટી કલેક્ટર, પ્રોવિન્શિયલ ઑફિસર, પર્સનલ એસિસ્ટન્ટ ટુ કલેક્ટર વગેરે પ્રકારનાં સત્તાસ્થાનોનો અનુભવ હતો અને આઝાદી પૂર્વે ૧૯૩૭માં જે હોમરૂલ પ્રાંતિક સ૨કારની રચના થયેલી તેમાં બાળાસાહેબ ખે૨સાહેબ સાથે એમણે મહેસૂલ ખાતાના પ્રધાન તરીકે કામગીરી બજાવી હતી. સરકારી સત્તાસ્થાનો ઉપરાંત કૉંગ્રેસ પક્ષમાં પણ એમણે ગુજરાત પ્રદેશના કૉંગ્રેસના મંત્રી તરીકે, કારોબારી સમિતિના સભ્ય તરીકે, કામરાજ યોજના હેઠળ રાષ્ટ્રના અગ્રણી કાર્યકર નેતા તરીકે એમ વિવિધ પ્રકારની કામગીરી બજાવી હતી. મોરારજીભાઈએ ૧૯૩૦માં સાબરમતી જેલમાં, ૧૯૩૧માં નાસિક જેલમાં, ૧૯૩૩માં યરવડા જેલમાં, ૧૯૪૧માં સાબરમતી અને ય૨વડા જેલમાં, ૧૯૪૨માં યરવડા જેલમાં અને આઝાદી પછી ઇન્દિરા ગાંધીના કટોકટીના શાસનકાળ દરમિયાન ૧૯૭૫માં સોહના જેલમાં રહીને જેલજીવનનો પણ ઘણો અનુભવ લીધો હતો. મોરારજીભાઈ સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થયા ત્યારે શ્રી જૈન યુવક સંઘની વસંત વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપવા માટે પધાર્યા હતા. ત્યારે વ્યાખ્યાનમાળાના પ્રમુખ તરીકે મેં એમની આ બધી સિદ્ધિઓ દાખવતાં એવી ઇચ્છા અને આશા વ્યક્ત કરી હતી કે, હવે એકમાત્ર રાષ્ટ્રપતિનું પદ મોરારજીભાઈને મળવું બાકી છે અને સક્રિય રાજકારણમાંથી તેઓ નિવૃત્ત થયા છે ત્યારે આ પદ પણ તેમને મળશે એવી આશા વ્યક્ત કરું છું.' પરંતુ મોરારજીભાઈને એ પદ મળ્યું નહિ. મળ્યું હોત તો રાષ્ટ્રની શોભા વધત. એટલું સારું થયું કે એમને પોતાની હયાતીમાં જ ‘ભારતરત્ન'નો ઇલ્કાબ મળ્યો હતો. પાકિસ્તાને પણ એમને સર્વોચ્ચ ઇલ્કાબ નિશાને પાકિસ્તાન' આપ્યો હતો. ભારતના દુશ્મન ગણાતા રાષ્ટ્રમાં પણ મોરારજીભાઈની સુવાસ કેવી હતી એની એ પ્રતીતિ કરાવે છે. ભારત અને પાકિસ્તાન એમ બંને રાષ્ટ્રોના સર્વોચ્ચ ઇલ્કાબ મેળવનાર એક માત્ર વ્યક્તિ હોય તો મોરારજીભાઈ જ છે. મોરારજીભાઈને નજીકથી મળવાનો સૌથી પહેલો પ્રસંગ મને ૧૯૫૨માં પ્રાપ્ત મોચરજી દેસાઈ ૧૦૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy