SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ આંતરવિગ્રહની એને તરત શરૂઆત કરવી પડી. વિગ્રહમાં આશાનાં ચિહુનો દેખાવા લાગ્યાં, ત્યારે એના બીજા પુત્રનું અવસાન થયું. ફરીથી પ્રમુખપદે આવ્યો ત્યારે એની સરકાર ઉથલાવી નાખવાનું કાવતરું રચાયું. આંતરવિગ્રહમાં એણે વિજય મેળવ્યો ત્યારે વિજયના પાંચમે દિવસે એનું ખૂન થયું. જીવનમાં કેટલી બધી નિષ્ફળા અને નિરાશા ? એક નહિ, બે નહિ. ડગલે ને પગલે નિરાશા મળતી હોવા છતાં લિંકને પોતાનો પ્રયત્ન કદી છોડ્યો નહિ. એનું જીવન એટલું બધું કરુણ હતું કે કેટકેટલા પ્રયત્નો પછી એને સફળતા મળી, ત્યારે એ સફળતા નિષ્ફળતા કરતાંયે મોંઘી પડે એવો એને અનુભવ થતો. કુદરતે જાણે નિશ્ચય જ કર્યો હતો કે લિંકનને સર્વ રીતે હંફાવવો અને ક્યાંય એને સફળ થઈને આગળ વધવા ન દેવો. અને લિંકને પણ જાણે નિશ્ચય જ કર્યો હતો કે ગમે તેટલા પરાજયો મળે તોપણ દઢ મનોબળ સાથે આગળ વધવું જ. લિંકનની સિદ્ધિ વધારે સંગીન હતી, કારણ પરાજ્યોના પાકા પાયા ઉપર એનું ચણતર થયું હતું. અને લિંકને પોતાના જીવન દરમિયાન શું શું પ્રાપ્ત ન કર્યું ? એણે અમેરિકાને છિન્નભિન્ન થતું બચાવી લીધું. એણે લાખો ગુલામોને કાયદેસરની મુક્તિ અપાવી. એની આ બે સિદ્ધિઓ શું ઓછી મહાન હતી ? અને એક ગરીબનો અભણ છોકરો, યુવાનીના ઉંબરમાં પગ મૂકતાં સુધીનાં વર્ષો વેડફી નાખ્યા પછી પણ ડગલે ને પગલે પાછો પડવા છતાં, માત્ર આપબળે આગળ વધીને અમેરિકાનો બબ્બે વાર પ્રમુખ બની શકે છે એ લિંકને પોતાના જીવન દ્વારા બતાવી આપ્યું એ જ શું એના જીવનની મોટામાં મોટી સિદ્ધિ નહોતી? એના જીવનની સાચી મહત્તા સમજવા માટે એટલું શું બસ નથી ? (“ગુલામોનો મુક્તિદાતામાંથી) મહાન માનવી (અબ્રાહ્મ લિંકન) ૯૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy