SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ કરી જશે તો તને ફરી પંજાબ જોવા નહિ મળે.” પરંતુ હું મારા નિર્ણયમાં મક્કમ હતી. કારણ કે મને મૃગાવતીશ્રી મહારાજના પરિચયમાં એવું ક્યારેય લાગ્યું નહોતું. મેં એમની પાસે દીક્ષા લીધી ત્યારથી તેઓ કાળધર્મ પામ્યાં ત્યાં સુધી એક દિવસ તો શું, એક ક્ષણ પણ મને એવો અનુભવ થવા દીધો નથી કે પોતે ગુજરાતી છે અને હું પંજાબી છું. એમનો આત્મા એવો મહાન ઊંચી દશાનો હતો. એમની પાસે દિક્ષા લઈને હું તો ધન્ય થઈ ગઈ છું અને જે સગાંસંબંધીઓએ ત્યારે વિરોધ કર્યો હતો તેઓ પણ પછીથી તો પૂ. મૃગાવતીશ્રીજી પાસે મેં દીક્ષા લીધી એથી બહુ રાજી થઈ ગયાં હતાં.” છેલ્લાં કેટલાંક વર્ષોથી પૂજ્ય મૃગાવતીજીનો વિહાર પંજાબમાં રહ્યો હતો. પૂજ્ય આત્મારામજી મહારાજ અને પૂજ્ય વલ્લભસૂરિજી મહારાજનું મુખ્ય કાર્યક્ષેત્ર પંજાબ રહ્યું હતું. એથી એમના સમુદાયનાં એક મુખ્ય સાધ્વી પૂજ્ય મૃગાવતીજીનું કાર્યક્ષેત્ર પણ વિશેષપણે પંજાબ રહે એ સ્વાભાવિક છે. લુધિયાણા, જલંધર, અંબાલા, હોશિયારપુર, ચંદીગઢ, લહેરા, માલેરકોટલા જેવાં મુખ્ય નગરો ઉપરાંત માર્ગનાં બીજાં નાનાં ગામોમાં પણ અનેક જૈન કુટુંબો સાથે પૂજ્ય મૃગાવતીજીનો સંપર્ક અત્યંત ગાઢ રહ્યો હતો. પૂજ્ય મૃગાવતીજીની એક વિશિષ્ટતા એ હતી કે તેઓ નાનાં-મોટાં સૌને નામથી ઓળખે. એક વખત મળે એટલે એમના સ્મૃતિપટ પર એ વ્યક્તિનું નામ અંકિત થઈ જાય. કેટલાંક કુટુંબોમાં બાર-પંદર સભ્યો હોય તો તે બધાંને મૃગાવતીજી નામથી ઓળખે અને એમાંની એકાદ વ્યક્તિ ક્યારેક એમને વંદન કરવા જાય તો તેઓ આખા કુટુંબનાં બધાં સભ્યોનાં નામ દઈને બધાંની ખબરઅંતર પૂછે અને બધાંને ધર્મલાભ કહેવડાવે. એમાં વયોવૃદ્ધ વડીલોનાં નામ પણ હોય અને બે-ચાર વર્ષનાં નાનાં બાળકોનાં નામ પણ હોય. આથી જ પંજાબમાં કેટલાંય કુટુંબોના સભ્યોને પૂજ્ય મૃગાવતીજી પાસે વારંવાર દોડી જવાનું મન થાય. મળીને વંદન કરે ત્યારે એટલી જ આત્મીયતા અનુભવાય. પૂજ્ય મૃગાવતીજીને જાહેર કાર્યમાં પોતાને ધાર્યા કરતાં ઘણી વધારે સફળતા મળતી, તેનું કારણ અનેકાનેક વ્યક્તિઓ સાથેની આ તેમની નિસ્વાર્થ પ્રેમપરાયણ આત્મીયતા હતી. હિમાચલ પ્રદેશમાં કાંગડા તીર્થમાં ચાતુર્માસ હતાં ત્યારે હું મારાં પત્ની અને દીકરી ચિ. શૈલજા સાથે ત્યાં ગયો હતો. અમારી દીકરીનો એમને પહેલી વાર પરિચય થયો, છતાં ત્યાર પછી જ્યારે જ્યારે મળ્યો છું ત્યારે ચિ. શૈલજાને એનું નામ દઈને તેઓ અચૂક યાદ કરે. અમારો પુત્ર ચિ. અમિતાભ અમેરિકામાં અભ્યાસ કરે છે અને એમને ક્યારેય મળ્યો નથી. છતાં દરેક વખતે એને પણ એના નામ સાથે યાદ કરે. પત્રમાં પણ નામનો ઉલ્લેખ કરે. ૭૬ ક ચરિત્રદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy