SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ગુલાબચંદજીએ મૂર્તિપૂજક સંપ્રદાયના પોતે હોવા છતાં બાલમુનિને અવશ્ય અભ્યાસ કિરાવશે તેવી ખાતરી આપી. સુરતમાં જ્યારે વિદ્યાભ્યાસ ચાલુ થયો ત્યારે અન્ય સંપ્રદાયના સાધુને વિદ્યાભ્યાસ કરાવવા માટે સમાજમાં થોડો ખળભળાટ પણ મચ્યો. પરંતુ તેની ખાસ કંઈ અસર થઈ નહિ. ગુલાબચંદજીએ બહુ જ ઉત્સાહથી બાલમુનિને સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના અધ્યયન સાથે વ્યાકરણ, કાવ્ય, અલંકાર, ન્યાય, જ્યોતિષ વગેરે ઘણા વિષયોનું અધ્યયન કરાવ્યું. વળી સાંખ્ય, વેદાંત વગેરે પડદર્શનનો પણ અભ્યાસ કરાવ્યો અને ન્યાયાવતાર, સ્યાદ્વાદ રત્નાકર વગેરે ગહન અને કઠિન ગ્રંથો પણ ભણાવ્યા. આવા અધ્યયનમાં ઘણાં વર્ષ લાગે અને એક જ સ્થાનક કે ઉપાશ્રયમાં વધુ ચોમાસા કરવાનું યોગ્ય ન ગણાય એટલે હીરાજીસ્વામીએ સુરતનાં પરાંઓમાં જુદે જુદે સ્થળે એમ છ ચોમાસાં કર્યો. આ રીતે બાલમુનિ અજરામરસ્વામીને વિદ્યાભ્યાસ કરવામાં સુરતમાં સતત છ ચોમાસાં કરવા પડ્યાં, પરંતુ એથી એમને સળંગ અભ્યાસ કરવાનો ઘણોબધો લાભ થયો. પૂજ્યશ્રી મંત્રતંત્ર અને ગુપ્તવિદ્યાઓના પણ સમર્થ જાણકાર હતા. અજરામરસ્વામી યોગ્ય અધિકારી પાત્ર છે એવી ખાતરી થયા પછી તેમણે મંત્રતંત્ર તથા સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિની ગુપ્ત વિદ્યાઓ અને વિધિ-આમ્નાય પણ અરામરસ્વામીને શીખવાડી. અજરામરસ્વામીએ આ છ વર્ષના ગાળા દરમિયાન વિદ્યાભ્યાસ કરતાં કરતાં કેટલીયે નોંધો ઉતારી લીધી હતી. વળી તેઓ જ્યારે વિહાર કરવાના હતા ત્યારે પૂજ્યશ્રી ગુલાબચંદજીએ પોતાના વિશાળ સંગ્રહમાંથી ૩૦૦ જેટલી મહત્ત્વની પોથીઓ પોતાની સાથે લઈ જવા માટે અજરામરસ્વામીને આપી હતી. (આ બધી પોથીઓ અને અજરામરસ્વામીના પોતાના હાથે લખેલી પ્રતો લીંબડીના જ્ઞાનભંડારમાં આજે પણ સચવાયેલી છે.) આમ અજરામરસ્વામીના વિદ્યાભ્યાસ નિમિત્તે સુરતનો મૂર્તિપૂજક સમુદાય અને સ્થાનકવાસી સમુદાય બંને ઉદાર દિલથી એકબીજાથી વધુ નજીક આવ્યા. એને જ કારણે અજરામરસ્વામીની માત્ર જૈન સંપ્રદાયો પૂરતી જ નહિ, જૈન અને જૈનેતર ધર્મો વચ્ચે પણ વિશાળ અને ઉદાર દષ્ટિ ખીલી હતી. અજરામરસ્વામીનું વ્યક્તિત્વ એવું પવિત્ર અને ઉદાત્ત હતું કે એમની ઉપસ્થિતિમાં સાંપ્રદાયિક સંકુચિતતાની વાત ટકી શકતી નહિ. યુવાન અજરામરસ્વામી ઊંડો શાસ્ત્રાભ્યાસ કરીને જ્યારે લીંબડી પધાર્યા હતા ત્યારે લીંબડીના લોકોએ તેમના પ્રત્યે ઘણો બધો આદરભાવ દર્શાવ્યો હતો. પરંતુ અજરામરસ્વામીએ કહ્યું કે પોતે જ્ઞાનમાં હજુ અધૂરા છે અને તેમની ઇચ્છા માળવામાં વિચરતા શ્રી દોલતરામજી મહારાજ પાસે આગમશાસ્ત્રોનો અભ્યાસ કરવાની છે. ૬૮ ક ચરિત્રદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy