SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ શું જેન કે શું બૌદ્ધ, શું હિન્દુ કે શું ખ્રિસ્તી, દરેક ધર્મ કે સંપ્રદાયના ત્યાગી સાધુઓમાં પણ જોવા મળે છે લોકેષણાની અભીપ્સા. ત્યાગી મહાત્માઓની લોકપ્રશંસા આપોઆપ જ થવા લાગે છે, તેમ છતાં સમય જતાં ક્યારેક કેટલાકમાં વધુ લોકેષણાની વાસના જાગે છે, પરંતુ પૂજ્ય મહારાજસાહેબે એના ઉપર વિજય મેળવ્યો હતો. પોતાને આગ્રહપૂર્વક સહજ રીતે મળતી આચાર્યની પદવીની પણ એમણે ખેવના કરી નહોતી, તો બીજી લોકેષણાની તો વાત જ શી કરવી ? મહારાજશ્રીની વિનમ્રતાનો એક પ્રસંગ મારા ચિત્તપટમાં હંમેશાં અંકિત રહેલો છે. ઈ. સ. ૧૯૬૩ના અરસામાં પૂ. શ્રી હેમસાગરસૂરિએ ‘કુવલયમાળા' નામના ગ્રંથના અનુવાદ તથા સંશોધન-સંપાદનનું કાર્ય મને સોંપ્યું હતું. તે વખતે કેટલાક સમાસયુક્ત પ્રાકૃત શબ્દોના અર્થ બરાબર બેસતા નહિ, એટલે પૂ. હેમસાગર મહારાજે સૂચન કર્યું કે એ માટે મારે પૂજ્ય પુણ્યવિજયજી મહારાજનું માર્ગદર્શન મેળવવું. એ પ્રમાણે એક દિવસ હું જ્યારે અમદાવાદ ગયેલો ત્યારે પૂ. પુણ્યવિજયજી મહારાજ પાસે તે કામ માટે લુણાવાડાના ઉપાશ્રયે રાત્રે આઠેક વાગે પહોંચ્યો હતો. મહારાજશ્રી પાસે શબ્દોના અર્થની ચર્ચા કરતાં કરતાં રાતનો લગભગ દોઢ વાગી ગયો હશે. બધા અર્થ બરાબર સંતોષકારક રીતે બેસી ગયા. કામ પત્યું એટલે મહારાજશ્રી પાસે માંગલિક સાંભળીને હું નીકળતો હતો. તે વખતે મહારાજશ્રીએ કહ્યું, “રમણભાઈ, મુંબઈ પહોંચો એટલે હેમસાગરસૂરિને મારી વંદના કહેજો.” મેં કહ્યું, ‘પણ મહારાજશ્રી, હેમસાગરુસૂરિ તો આપના કરતાં ઉંમરમાં, દીક્ષા પર્યાયમાં, જ્ઞાનમાં ઘણા જ નાના છે. આપની વંદના હોય ?” એમણે કહ્યું, ‘એ ગમે તે હોય, પણ તેઓ આચાર્ય છે અને હું મુનિ છું એટલે મારે જ એમને વંદના કરવાની હોય !” મહારાજશ્રીની આવી ઉચ્ચ, ઉદાત્ત, વિનમ્ર ભાવનાથી હું બહુ પ્રભાવિત થયો હતો. જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં મહાન ગણાતી કોઈ કોઈ વ્યક્તિઓના નિકટના સંપર્કમાં આવવાની જ્યારે આપણને તક મળે છે ત્યારે તે દરેકનો આપણો અનુભવ એકસરખો નથી હોતો. કેટલીક મહાન ગણાતી વ્યક્તિઓના નિકટના સંપર્કમાં જેમ જેમ આપણે આવીએ છીએ અને જેમ જેમ એમની વિશ્વસનીય વ્યક્તિ બનીએ છીએ તેમ તેમ એ મહાપુરુષમાં રહેલાં અહંકાર, દંભ, ઉગ્ર રાગદ્વેષ, સંકુચિત અને સ્વાર્થપરાયણ દૃષ્ટિ, ખટપટ, ચારિત્ર્યની શિથિલતા, ઉપદેશ અને વર્તન વચ્ચેની વિસંવાદિતા ઇત્યાદિ આપણી નજરે ચડવા લાગે છે. અને વખત જતાં લોકષ્ટિએ મહાન ગણાતા એ પુરુષમાં વામન પુરુષનું આપણને દર્શન થતું જાય છે. બીજી બાજુ કેટલાક એવા ખરેખર મહાત્માઓ હોય છે કે જેમના નિકટના સંપર્કમાં જેમ જેમ આપણે આવતા જઈએ તેમ તેમ તેમના ચારિત્ર્યનાં આપણને ખબર ન હોય ૫૮ ચરિત્રદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy