SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ઘણા બધા હોય છે. જીવ એમાંથી જ્યાં સુધી નિવૃત્ત થતો નથી ત્યાં સુધી સંયમ ધારણ કરી શકતો નથી. એટલે ત્યાં સુધી રાગ અને દ્વેષનાં નિમિત્તો એને મળ્યા કરવાનાં. એટલા માટે ઇન્દ્રિયો અને મન ઉપર સંયમ ધારણ કરવાની વિશેષ આવશ્યકતા છે. અન્ય જીવો પ્રતિ ચિત્તમાં વિવિધ પ્રકારના ભાવો જન્મતા હોય છે. એમાં શુભ ભાવોમાં મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ એ ચાર પ્રકારની ભાવના ઉપર બહુ ભાર મૂકવામાં આવ્યો છે. આ ચાર ભાવનાઓને જૈન ધર્મમાં ધર્મધ્યાનની ભાવના તરીકે ઓળખાવવામાં આવી છે. આ ભાવનાઓ ભાવવાથી આર્ત અને રૌદ્ર ધ્યાન દૂર થવા લાગે છે. બીજાનું હિત ચિંતવવું એનું નામ મૈત્રી. બીજાના ગુણો જોઈને આનંદ અનુભવવો એનું નામ પ્રમોદ, બીજાનું દુખ જોઈને દુઃખી થવું અને તે દૂર કરવા માટે ચિંતા કરવી એનું નામ કરુણા અને બીજા પોતાની હિતશિક્ષા ન માને તો ઉદાસીનભાવ ધારણ કરવો તેનું નામ માધ્યસ્થ. આ ચાર ભાવનાઓ ઉપરાંત અનિત્યાદિ બાર ભાવનાઓ વૈરાગ્યની પણ છે. આ ભાવનાઓના સેવનથી સમત્વનો ભાવ દૃઢ થાય છે. ચિત્તમાં ઊઠતા સંકલ્પ-વિકલ્પોને શાસ્ત્રકારોએ મુખ્ય ચાર પ્રકારના ધ્યાન તરીકે દર્શાવ્યા છે : (૧) આર્તધ્યાન, (૨) રૌદ્રધ્યાન, (૩) ધર્મધ્યાન અને (૪) શુક્લધ્યાન. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન તે અશુભધ્યાન છે અને ત્યજવા યોગ્ય છે. આર્તધ્યાનના ચાર પેટાપ્રકાર બતાવવામાં આવ્યા છે : (૧) અનિષ્ટસંયોગજનિત, (૨) ઇષ્ટવિયોગજનિત, (૩) પ્રતિકૂલ વેદનાજનિત અને (જી નિંદ્વજનિત. એવી રીતે રૌદ્રધ્યાનના પણ ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે : (૧) હિંસાનંદ, (૨) મૃષાનંદ, (૩) ચૌયનંદ અને ) પરિગ્રહાનંદ. જ્યાં સુધી આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એ બે અશુભ ધ્યાન જાય નહિ ત્યાં સુધી જીવ શુભ ધ્યાન તરફ વળી શકતો નથી. સામાયિક કરનારે અશુભ ધ્યાનનો ત્યાગ કરવાનો હોય છે. વળી સામાયિક કરનારે સાવધયોગ – પાપમય પ્રવૃત્તિથી નિવૃત્ત થવાનું હોય છે. પ્રાણાતિપાત વગેરે અઢાર પ્રકારનાં પાપસ્થાનો શાસ્ત્રકારોએ બતાવ્યાં છે. એમાંથી જ્યાં સુધી નિવૃત્ત ન થવાય ત્યાં સુધી સારી રીતે સામાયિક થઈ શકે નહિ. આ ઉપરથી જોઈ શકાશે કે સાચું સામાયિક કરવા માટે મન, વચન અને કાયાથી કેટલી બધી પૂર્વતૈયારી કરવાની રહે છે. સમતાભાવમાં રમનારા બધા જીવોનો સમતાભાવ એકસરખો નથી હોતો. આથી સામાયિકના પ્રકારો જુદા હોઈ શકે છે. સામાયિક ૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy