SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ सामाइएणं सावज्जजोग विरइ जणयइ । સામાયિક કરવાથી જીવ સાવધ યોગથી વિરતિ પામે છે.] આમ, સામાયિક કરવાથી, એક આસન ઉપર નિશ્ચિત કાળ માટે પ્રતિજ્ઞાપૂર્વક બેસવાથી કાયાની અન્ય પ્રવૃત્તિઓથી આરાધક નિવૃત્ત થાય છે. ત્યાર પછી મન અને વાણીને સ્થિર કરીને આત્માના ઉપયોગમાં જેટલે અંશે પોતાના ચિત્તને જોડી શકે છે તેટલે અંશે તે સાવદ્ય પાપરૂપ) યોગોમાંથી નિવૃત્ત થાય છે. આ રીતે પ્રાથમિક લાભની દૃષ્ટિએ જોઈએ તો સામાયિક નવાં પાપરૂપ કર્મોને અટકાવવાનું પ્રબળ સાધન બને છે. શ્રી હરિભદ્રસૂરિએ “અષ્ટક પ્રકરણમાં સામાયિકને મોક્ષાંગ તરીકે એટલે કે મોક્ષના અંગ તરીકે ઓળખાવ્યું છે: सामायिकं च मोक्षांग परं सर्वज्ञ भाषितम् । वासी चन्दन कल्पानामुक्तमेतन्महात्मानाम् ॥ “વાસી ચંદન કલ્પમાં વાસી શબ્દનો અર્થ થાય છે “વાંસલો', જે સુથારનું ઓજાર છે. એ લાકડું છોલવામાં વપરાય છે. કોઈ એક હાથે વાંસલો ફેરવી હાથની ચામડી ઉખાડતો હોય અને બીજે હાથે કોઈ ચંદનનો લેપ કરતો હોય તો એ બંને પ્રત્યે સમભાવ રાખી શકે એવી મહાત્માઓની સમતાને મોક્ષ મેળવી આપનારી તરીકે અર્થાતુ મોક્ષાંગ તરીકે ઓળખાવવામાં આવી છે. વાસી ચંદનનો બીજો અર્થ એવો કરવામાં આવે છે કે જેમ ચંદનના વૃક્ષને કાપવાથી તે કાપવાવાળા કુહાડાને પણ સુગંધિત કરે છે તેવી રીતે મહાપુરુષોનું સામાયિક વૈરવિરોધ ધરાવનાર પ્રતિ સમભાવરૂપી સુગંધ અર્પણ કરનાર હોય છે. એટલા માટે સર્વજ્ઞ ભગવાને કહ્યું છે કે સામાયિક મોક્ષાંગ છે, મોક્ષનું અંગ છે. આ બે અર્થમાંથી વાસી ચંદનનો પહેલો અર્થ વધારે સાચો છે. સામાયિક વગર મોક્ષપ્રાપ્તિ થઈ ન શકે. મોક્ષપ્રાપ્તિ માટે કેવળજ્ઞાન પ્રગટ થવું જોઈએ. જ્યાં સુધી ચાર ઘનઘાતી કમ (જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય કર્મ નો ક્ષય ન થાય ત્યાં સુધી કેવળજ્ઞાન પ્રકાશિત થાય નહિ. જ્યાં સુધી જીવ સંવર દ્વારા નવાં કર્મોને અટકાવે નહિ અને નિર્જરા દ્વારા જૂનાં કર્મોનો ક્ષય ન કરે ત્યાં સુધી ઘાતી કર્મોમાંથી મુક્ત ન થઈ શકે. જ્યાં સુધી રાગદ્વેષનાં પરિણામો ચાલ્યા કરે ત્યાં સુધી ઘાતી કર્મો રહ્યા કરે. સાચી સમતા આવે તો રાગદ્વેષ જાય. સમતાભાવ લાવીને શુદ્ધ આત્મરમણતા અનુભવવા માટે સામાયિક એ જ એક માત્ર ઉપાય છે. સામાયિકા ૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy