SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર વિશેષ પ્રકાશ પાડવા માટે નિર્યુક્તિ, ચૂર્ણિ વગેરે પ્રકારની રચનાઓ થઈ છે. આ છ આવશ્યક ક્રિયાઓમાં સામાયિકને સૌતી પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. એ ઉપરથી સામાયિકનું મહત્ત્વ જૈન ધર્મમાં કેટલું બધું છે તે સમજી શકાય છે. આ છયે આવશ્યક ક્રિયાઓ પરસ્પર સંલગ્ન છે. એટલે કોઈ પણ એક આવશ્યક ક્રિયા વિધિપૂર્વક બરાબર ભાવથી કરવામાં આવે તો તેમાં બીજી ક્રિયાઓ સૂક્ષ્મ કે સ્કૂલ રીતે આવી જ જાય છે. પ્રતિક્રમણની વિધિમાં તો છયે આવશ્યક ક્રમાનુસાર વ્યવસ્થિત રીતે ગોઠવેલા છે. સામાયિકના કરેમિ ભંતે' સૂત્રમાં છયે આવશ્યક નીચે પ્રમાણે ઘટવવામાં આવ્યા છે: (૧) કરેમિ... સામાઈયું.. સમતા ભાવ વિધિપૂર્વક સામાયિક માટેની અનુજ્ઞા. એમાં “સામાયિક' રહેલું છે. (૨) ભજો. ભદત્ત.. ભગવાન ! જિનેશ્વર ભગવાનને પ્રાર્થના – આજ્ઞા – પાલનરૂપી “ચતુર્વિશતિસ્તવ' છે. (૩) તસ્ય ભંતે... ગુરુને વંદન કરવાપૂર્વક નિંદા, ગહીં કરવાની હોય છે – માટે એમાં ‘વંદન' છે. () પડિક્કમામિ. પાપોની નિંદા, ગહ અને તેમાંથી પાછા ફરવાની ક્રિયા. એમાં પ્રતિક્રમણ' છે. (૫) અખાણ વોસિરામિ.. પાપોથી મલિન થયેલા આત્માને વોસિરાવું છું. એમાં કાર્યોત્સર્ગ છે'. (૬) સાવજ્જ જો– પચ્ચકખામિ. એમાં સાવદ્ય યોગનાં પચ્ચકખાણ છે. આમ, સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાઉસગ્ગ અને પચ્ચકખાણ એ છયે આવશ્યક કર્તવ્ય કરેમિ ભંતે' સૂત્રમાં રહેલાં છે. આ છયે પ્રકારની આવશ્યક ક્રિયાઓથી જીવને શો શો લાભ થાય છે તે વિશે ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. ભગવાને તેના સંક્ષેપમાં ઉત્તર આપ્યા છે. ઉત્તરાધ્યયનસૂત્ર'ના ૨૯મા અધ્યયનમાં ભગવાનને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે: सामाइएणं भन्ते जीवे किं जणइ ? (સામાયિક કરવાથી હે ભગવાન ! જીવને શો લાભ થાય છે ? ભગવાન ઉત્તર આપે છે : ૪એક જૈન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy