SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર પ્રહરનો પૌષધ પણ થાય છે) દિગંબર પરંપરામાં પણ ચોથી પ્રતિમા તે પૌષધપ્રતિમા છે. શ્રી બનારસીદાસે લખ્યું છે : પ્રથમહિં સામાયિક દશા, ચાર પહર લ હોય, અથવા આઠ પહર રહૈ પૌષધ પ્રતિમા સોય. પાંચમી કાયોત્સર્ગપ્રતિમા. પાંચમી પ્રતિમા “પડિમા” અર્થાત્ કાયોત્સર્ગ (કાઉસગ્ગ)ની છે : निक्कंपो काउसग्गं तु पुव्वुत्तगुणसंजुओ । कहेइ पव्वराईसं पंचमी पडिवन्नओ ॥ પૂર્વની પ્રતિમાઓના ગુણોથી યુક્ત એવો શ્રાવક પર્વરાત્રિએ નિષ્કપપણે કાઉસગ્ન કરે તે પાંચમી પ્રતિમા જાણવી. આ પ્રતિમાને “નિયમપ્રતિમા પણ કહેવામાં આવે છે. આ પ્રતિમા ધારણ કરનાર પર્વ રાત્રિએ એટલે અષ્ટમી અને ચતુર્દશીની રાત્રિએ ઘરમાં કે ઘરની બહાર, નિષ્ફપપણે એટલે પરીષહ વગેરે સહન કરીને, વિચલિત થયા વગર કાઉસગ્ન કરવાનો હોય છે. આ કાઉસગ્ગ આખી રાત દરમિયાન અથવા મધ્યરાત્રિ સુધી ઈશાન દિશામાં મુખ રાખીને કરવાનો હોય છે.] આ પ્રતિમા ધારણ કરનાર સ્નાન કરે નહિ, અધોવસ્ત્રને કચ્છ વાળ નહિ તથા પ્રતિમા વહનના કાળ દરમિયાન દિવસે બ્રહ્મચર્ય પાળે છે અને રાત્રે ભોગનું પ્રમાણ નક્કી કરે છે. આવશ્યકચૂર્ણિમાં રાત્રિભોજનના ત્યાગને પાંચમી પ્રતિમા તરીકે બતાવી છે. દિગંબર પરંપરામાં શ્રી સમંતભદ્રાચાર્ય અને શ્રી બનારસીદાસે સચિત્ત ત્યાગને પાંચમી પ્રતિમા તરીકે બતાવી છે. - છઠ્ઠી બ્રહ્મચર્યપ્રતિમા હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રમાં, દશાશ્રુતસ્કંધ અનુસાર છઠ્ઠી પ્રતિમા . અબ્રહ્મવર્જનની અથવા બ્રહ્મચર્યપાલનની કહી છે. છ મહિનાના પ્રમાણવાળી આ પ્રતિમા ધારણ કરનારે ચિત્તની સ્થિરતાપૂર્વક બ્રહ્મચર્યનું અખંડ પાલન કરવાનું હોય છે. શ્રાવકે સ્ત્રીકથા, કામકથા ઈત્યાદિ ઇંગોરોત્તેજક વાતચીત ન કરવી જોઈએ. શ્રાવક સ્ત્રીની સાથે એકાન્તમાં ન રહે, સ્ત્રીનો અતિ પરિચય ન રાખે તથા સ્નાન, વિલેપન, અલંકાર વગેરે દ્વારા તે પોતાના શરીરની શોભા વૃદ્ધિ માટે પ્રયત્ન ન કરે. શ્રાવકે શીલની નવ વાડ સાથે બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવું જોઈએ. શીલની નવ વાડ નીચે પ્રમાણે છે : અગિયાર ઉપાસકસ્મૃતિમાઓ ૪ ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy