SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ લોકો અને મુનિઓનાં આચરણો, શ્રમભર્યા વિચારો ઈત્યાદિનું નિર્ભયતાપૂર્વક સાચું ચિત્ર દોર્યું છે, જેમાંથી કોઈ પણ યુગના માત્ર મુનિઓએ જ નહિ, લોકોએ પણ ઘણો બોધ લેવા જેવો છે. સઝાયો શ્રી યશોવિજયજીએ સમ્યક્ત્વના સડસઠ બોલની સાય, અઢાર પાપસ્થાનકની સાય, પ્રતિક્રમણ હેતુગર્ભિત સઝાય, અગિયાર અંગની સઋય, આઠ યોગદષ્ટિની સઝાય, સુગુરુની સક્ઝાય, પાંચ કુગુરુની સાય (નાની અને મોટી), જિન પ્રતિમાસ્થાપન સજઝાય, અમૃતવેલિની સન્મય (નાની તથા મોટી), ચાર આહારની સઝાય, સંયમ શ્રેણિવિચાર સઝાય, ગુણસ્થાનક સઝાય ઈત્યાદિ સઝાયોની રચના કરી છે. સક્ઝાય(સ્વાધ્યાય)નો રચનાપ્રકાર જ એવો છે કે જેમાં કોઈ તત્ત્વનું યથાર્થ સ્વરૂપ સમજાવવામાં આવ્યું હોય અને એમાંથી ફલિત થતો બોધ આપવામાં આવ્યો હોય. શ્રી યશોવિજયજીની સઝાયો જૈનધર્મના પારિભાષિક જ્ઞાનથી સભર છે. એમની અભિવ્યક્તિ માર્મિક અને ચોટદાર છે. સમ્યકત્વના સડસઠ બોલ, અઢાર પાપસ્થાનક અને પ્રતિક્રમણ એ ત્રણ વિષય પર ઉપરની એમની સક્ઝાયો કદમાં ઘણી મોટી અને સૈદ્ધાંતિક વિચારણાથી સભર છે. આ બધી સક્ઝાયો કવિના ગહન શાસ્ત્રજ્ઞાનની અને વિશદ ચિંતનની પ્રતીતિ કરાવે છે. અન્ય કૃતિઓ ગુજરાતી ભાષામાં ગદ્ય અને પદ્યમાં શ્રી યશોવિજયજીએ લખેલી અન્ય કૃતિઓમાં ગીતો, પદો, બત્રીસી, શતક, ભાસ, સંવાદ, ચોપાઈ, બાલાવબોધ, ટબો, પત્રો વગેરે પ્રકારની છે. અત્યાર સુધીમાં ઉપલબ્ધ એવી અન્ય કૃતિઓમાં “સમુદ્ર વહાણ સંવાદ “સમતાશતક', “સમાધિશતક', પંચ પરમેષ્ઠિ ગીતા', “સમ્યકત્વના છ સ્થાનની ચોપાઈ', “જબૂસ્વામી - બ્રહ્મગીત', “દિકપટ ચોરાશી બોલ', “થતિધર્મ બત્રીસી', ‘આનંદઘન અષ્ટપદી', “જસવિલાસ' (આધ્યાત્મિક પદો), ઉપદેશમાલા', અધ્યાત્મ મત પરીક્ષાનો ટબો', “તત્ત્વાર્થ સૂત્રનો ટબો', “વિચારબિંદુ અને એનો ટબો. શઠપ્રકરણ બાલાવબોધ', “લોક નાલિ બાલાવબોધ', “જેસલમેરના પત્રો', સાધુવંદના', ‘ગણધર ભાસ', “નેમ રાજુલનાં ગીતો' ઇત્યાદિ છે. સમુદ્રવહાણ સંવાદ સં. ૧૭૧૭માં ઘોઘા બંદરમાં કવિએ રચેલી સંવાદના પ્રકારની એક ઉત્તમ કૃતિ છે. ૧૭ ઢાળ તથા દુહાની મળી ૩૦૬ ગાથામાં રચાયેલી આ કૃતિમાં કવિએ સમુદ્ર અને વહાણ વચ્ચે સચોટ સંવાદ રજૂ કરીને, વહાણે સમુદ્રનો ગર્વ કેવી રીતે ઉતાર્યો તેનું આલેખન કર્યું છે. ૦૮ જૈન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy