SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ પદ મધુર કંઠે ગાયા પછી ‘અગ્નિ સહુ મેરી દેહી લે’ એ પદ ગાવું તેમણે શરૂ કર્યું હતું. એવામાં સામેથી શ્રી યશોવિજયજીને આવતા જોઈને તેઓ સામા જઈ તેમને ભેટ્યા હતા. અને પોતાનું પદ પૂરું કરતાં ગાયું હતું : આનંદઘન કહે “જસ' સુનો બાતાં; એહી મિલે તો મેરો ફેરો ટળે.' કહેવાય છે કે આ પ્રસંગે પછી શ્રી યશોવિજયજીએ શ્રી આનંદઘનજીની સ્તુતિરૂપ “અષ્ટપદી'ની રચના કરી. એમના મુખમાંથી કેટલીક પંક્તિઓ સરી પડી : મારગ ચલતે ચલત ગાત, આનંદઘન પ્યારે ! રાહત આનંદ ભરપૂર !' જસ વિજય કહે સુનો આનંદઘન, તુમ હમ મિલે હજૂર. શ્રીપાળ રાસ'ની રચનામાં સહયોગ. જૈનસાહિત્યમાં ‘શાંત સુધારસ', પુણ્ય પ્રકાશનું સ્તવન' વગેરે સંસ્કૃત અને ગુજરાતી કૃતિઓ વડે જેઓ સુપ્રસિદ્ધ છે એવા ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના સમકાલીન હતા. તેઓ બંને શ્રી હીરવિજયસૂરિના સમુદાયના હતા. શ્રી વિનયવિજયજી ઉંમરે મોટા હતા. તેઓ વિ. સં. ૧૭૩૮માં રાંદેરમાં ચાતુર્માસ માટે હતા ત્યારે ત્યાંના સંઘે એમને શ્રીપાળ રાજા વિશે રાસકૃતિ લખવાની વિનંતી કરી. પરંતુ પોતાની વૃદ્ધાવસ્થા અને કથળતી જતી તબિયતને કારણે એવો મોટો ગ્રંથ લખવાની તેમની ઇચ્છા નહોતી, કારણ કે તે પૂરો થાય કે ન પણ થાય. પરંતુ સંઘનો ઘણો આગ્રહ હતો એટલે તેમણે રાસ લખવાનું શરૂ કર્યું. સિદ્ધહસ્ત કવિઓને કાવ્યપંક્તિઓની રચના કરવી એ બહુ સરળ વાત હોય છે. શ્રી વિનયવિજયજી મહારાજે ઝડપથી રાસની રચના આગળ વધારી. થોડા સમયમાં તો રાસના ત્રણ ખંડ પૂરા થઈ ગયા. ચોથા ખંડની ચાર ઢાળ લખી ત્યાં તો શ્રી વિનયવિજયજીની તબિયત એકદમ બગડવા લાગી. દિવસો ગણાવા લાગ્યા. પાંચમી ઢાળની વીસ કડી સુધીની રચના થઈ. હજુ આગળ લખવાની ઇચ્છા ઘણી હતી પણ ચિત્તની તેવી સ્વસ્થતા રહી નહોતી. પોતાની આ કૃતિ અધૂરી રહેશે એનો મનમાં કંઈક વિષાદ પણ હશે. એ વખતે શ્રી યશોવિજયજી રાંદેરમાં હતા. શ્રી વિનયવિજયજી તેમના વડીલ કાકાગુરુ થાય. બંને વચ્ચે ઘણી આત્મીયતા હતી. એક દંતકથા પ્રમાણે તેઓ બંને કાશીમાં વિદ્યાભ્યાસ માટે સાથે હતા. શ્રી ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ૨૯૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy