SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાધ્યાયજી મહારાજને શ્રી આનંદઘનજી ક્યાં મળ્યા હશે, ક્યારે અને કેવી રીતે મળ્યા હશે તે વિશે નિશ્ચિતપણે આપણને કશું જાણવા મળતું નથી. દંતકથા એમ કહે છે કે શ્રી યશોવિજયજી આબુ મેડતા તરફ વિહાર કરતા હતા તે સમયે તેઓ સાધુઓમાં વિદ્વાન, શાસ્ત્રજ્ઞ અને બહુશ્રુત ગણાતા હતા. એમનાં વ્યાખ્યાનો સાંભળવા અનેક લોકો આવતા. બીજી બાજુ આનંદઘનજી પણ યોગ અને અધ્યાત્મવિદ્યામાં ઘણા ઊંડા ઊતર્યા હતા. તેઓ આબુ – મેડતાની આસપાસના પ્રદેશમાં એકાંતમાં વિચરે છે એમ જાણી શ્રી યશોવિજયજી તેમને મળવા માટે તપાસ કરતા રહેતા હતા. બીજી બાજુ શ્રી યશોવિજયજીની બહુશ્રુતતાની વાત શ્રી આનંદઘનજીએ પણ સાંભળી હતી. તેઓ આસપાસના પ્રદેશમાં આવ્યા છે એમ જાણીને શ્રી આનંદઘનજી પણ તેમને મળવા ઉત્સુક થયા હતા. એક દિવસ શ્રી યશોવિજયજી ઉપાશ્રયમાં વ્યાખ્યાન આપતા હતા ત્યારે તે સાંભળવા માટે આસપાસના પ્રદેશમાંથી આવીને બેઠેલા સાધુઓના સમુદાયમાં જીર્ણ વેશધારી એક વૃદ્ધ સાધુ પણ આવીને બેસી ગયા હતા. શ્રી યશોવિજયજીનું અધ્યાત્મ વિશેનું વ્યાખ્યાન સાંભળીને જ્યારે પોતાના ચહેરા પર સૌ પ્રસન્નતા વ્યક્ત કરતા હતા, ત્યારે એ જીર્ણ વેશધારી વૃદ્ધ સાધુના ચહેરા પર એટલો હર્ષ જણાતો નહોતો. શ્રી યશોવિજયજીએ એમને પાટ ઉપરથી પૂછ્યું, “અરે, સ્થવિર સાધુ ! તમને મારા વ્યાખ્યાનમાં બરાબર સમજણ પડી કે નહિ?” પરંતુ તેમની સાથે થોડી વાતચીત કરતાં જ આ કોઈ બહુ જ્ઞાની અને અનુભવી સાધુ મહાત્મા છે એમ સમજાયું. અનુમાનથી શ્રી યશોવિજયજીને ખબર પડી ગઈ કે તેઓ તો શ્રી આનંદધનજી મહારાજ જ છે, એટલે ઉપાધ્યાયજી તરત પાટ ઉપરથી ઊતરી તેમની પાસે ગયા. અને પોતે જે શ્લોકનું વિવેચન કરતું વ્યાખ્યાન આપ્યું હતું તે શ્લોક પર વ્યાખ્યાન આપવા માટે શ્રી આનંદઘનજીને આગ્રહપૂર્વક વિનંતી કરી. શ્રી આનંદઘનજીએ એ એક શ્લોક પર એકધારું સરસ વ્યાખ્યાન આપ્યું. શ્રી યશોવિજયજી બહુશ્રુત પંડિત હતા, પરંતુ આનંદઘનજી તો આધ્યાત્મિક અનુભૂતિ ધરાવનાર અવધૂત હતા. એમનું વ્યાખ્યાન સાંભળી સૌ શ્રોતાજનો ડોલવા લાગ્યા. શ્રી યશોવિજયજીએ પણ એકચિત્તથી એ વ્યાખ્યાન સાંભળી અત્યંત પ્રસન્નતા અનુભવી. આ પ્રસંગથી શ્રી આનંદઘનજી પ્રત્યે તેમને ઘણો પૂજ્યભાવ થયો હતો. આ પછી, દંતકથા પ્રમાણે, બીજી એક વાર શ્રી આનંદઘનજીને મળવાની ઈચ્છા શ્રી યશોવિજયજીને થઈ હતી. બાવાઓને પૂછતાં પૂછતાં આબુ પરની એક ગુફા પાસે તેઓ આવી પહોંચ્યા. તે સમયે આનંદઘનજી ધ્યાનમાંથી ઊઠીને બહાર નીકળ્યા હતા. “મેરે નિરંજન યાર, તું કૈસે મિલેંગે' નામનું સ્વરચિત આધ્યાત્મિક ૨૯૬ જેન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy