SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ કે શ્રી યશોવિજયજી અને શ્રી વિનયવિજયજીએ જેન સાધુનાં કપડાં ઉતારીને, હિન્દુ સંન્યાસીનાં કપડાં પહેરીને કાશીના સર્વોચ્ચ હિન્દુ પંડિત અને નબન્યાય જેવા કઠિન વિષયના પારંગત પંડિત ભટ્ટાચાર્ય પાસે વિદ્યાભ્યાસ કરવા જવું. એ રીતે વેશપલટો કરી તેઓ બંને તેમની પાસે ગયા. તેમની તેજસ્વિતા પારખીને ભટ્ટાચાર્યે તેઓ બંનેને પોતાના શિષ્ય તરીકે સ્વીકાર્યા. ભટ્ટાચાર્યના ઘરે રહીને તેઓ બંને તેમની પાસે અભ્યાસ કરવા લાગ્યા. ષડ્રદર્શનનો તથા વ્યાકરણ, છંદ વગેરેનો અભ્યાસ તો ઝડપથી તેમણે કરી લીધો. ભટ્ટાચાર્યે જોયું કે પોતાના આ બે શિષ્યો બહુ જ તેજસ્વી છે અને રોજેરોજ પોતે જેટલું શીખવે છે તેટલું તરત જ તેઓ ગ્રહણ કરી લે છે. પોતાને જેટલું આવડતું હતું તે બધું શિષ્યોને પણ આવડવા લાગ્યું. હવે નવ્યન્યાયનો વિષય શીખવવાનો હતો. પરંતુ ભટ્ટાચાર્ય જાણી જોઈને તેઓ બંનેને એ વિષય શીખવતા નહિ. રખેને પોતાની મહત્તા ઓછી થઈ જાય એવો સંશય પણ હતો. નબન્યાયનો ગ્રંથ “તત્ત્વચિંતામણિ ઘરમાં ઊંચે અભરાઈ પર પોટલીમાં બાંધેલો હતો. પરંતુ તે તેઓ ઉતારીને શિષ્યોને બતાવતા પણ નહિ. એક વખત ભટ્ટાચાર્યને બહારગામ જવા માટે કોઈ અગત્યનું તેડું આવ્યું. ભટ્ટાચાર્ય બહારગામ ગયા એટલે શ્રી યશોવિજયજીએ અને શ્રી વિનયવિજયજીએ અભરાઈ ઉપરથી તે ગ્રંથ ઉતાર્યો. દસ હજાર જેટલા શ્લોકનો એ દળદાર ગ્રંથ હતો. તે જોઈને તેઓ બંને રાજી રાજી થઈ ગયા. પરંતુ આવડો મોટો ગ્રંથ યાદ કેવી રીતે રહે? બંનેની સ્મૃતિ બહુ જ સારી હતી. બંનેએ અર્ધા અર્ધા પાનાં વહેંચી લીધાં. પોતપોતાના ભાગે આવેલાં પાનાંના શ્લોકો તેઓ બંનેએ કંઠસ્થ કરી લીધા. અને ગ્રંથ પોટલીમાં બાંધીને ફરી પાછો અભરાઈ ઉપર મૂકી દીધો. ભટ્ટાચાર્ય બહારગામથી પાછા આવ્યા અને વિદ્યાભ્યાસ ચાલુ થયો. એવામાં એક દિવસ એમની નજર ‘તત્ત્વચિંતામણિ' ગ્રંથની પોટલી પર પડી. બીજી પોટલીઓ કરતાં એના ઉપરની ધૂળ ઓછી થયેલી દેખાઈ. એ ઉપરથી એમને વહેમ પડ્યો કે જરૂર કોઈએ એ ગ્રંથ ઉતાર્યો લાગે છે. તેમણે શ્રી યશોવિજયજી અને શ્રી વિનયવિજયજીને એ વિશે પૂછ્યું. તેઓ બંનેએ પ્રામાણિકતાપૂર્વક એ વાતનો એકરાર કરી લીધો. ભટ્ટાચાર્યને લાગ્યું કે ગ્રંથ જોયો તેથી શું થઈ ગયું? એથી તે થોડો જ આવડી જવાનો છે? પરંતુ વાતચીત કરતાં તેમને વહેમ પડ્યો કે શિષ્યોને એ ગ્રંથના કેટલાક શ્લોક મોઢે છે. તેમણે તે વિશે પૂછપરછ કરી ત્યારે ખબર પડી કે બંનેએ અર્ધા અર્ધા ગ્રંથ વહેંચીને કંઠસ્થ કરી લીધો છે. પરંતુ તેમને વધુ આશ્ચર્ય એ વાતનું થયું કે બંને શિષ્યોને આખો ગ્રંથ કંઠસ્થ કેવી રીતે થઈ શક્યો ? એ વિશે તેમણે પ્રશ્ન કર્યો ત્યારે બંને શિષ્યોએ કહ્યું કે પોતે રોજ ભિક્ષા માટે જતા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ૨૮૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy