SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ પોતાના ગુરુમહારાજ સાથે જ્યારે વિહાર કર્યો ત્યારે ઉત્તર પ્રદેશમાં કાશી પહોંચતાં પહેલાં ગંગા નદીનાં દર્શન થયાં. કાશી પહોંચીને પોતે વિદ્યાભ્યાસ શરૂ કરે તે પહેલાં એમણે ભાગીરથી ગંગામૈયાના તટે માતા સરસ્વતી-દેવીને પ્રસન્ન કરવા જપસાધના શરૂ કરી હતી. મૃતદેવતાની આરાધના માટે શ્રી યશોવિજયજીનો પ્રિય મંત્ર હતો. છે નH8 ! ગંગાતટે આસનબદ્ધ થઈ તેમણે તપશ્ચર્યાપૂર્વક એકચિત્તે આ મંત્રનું રટણ કર્યા કર્યું હતું. એથી પ્રસન્ન થઈ સરસ્વતીદેવીએ એમને તર્કમાં (વાદવિદ્યામાં) અને કાવ્યમાં સિદ્ધિ મળે એવું વરદાન આપ્યું હતું. પોતાના જંબુસ્વામી રાસમાં આરંભમાં જ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી આ ઘટનાનો નિર્દેશ કરતાં લખે છે : સારદ સાર દયા કરે. આપો વચન સુરંગ; તૂ તૂઠી મુજ ઉપરિ, જાપ કરત ઉપગંગ. તર્ક -- કાવ્યનો તઈ તા, દીધો વર અભિગમ; ભાષા પણિ કરિ કલ્પતરુ – શાખા સમ પરિણામ. અનુક્રમે આગળ વધતા શ્રી નવિજયજી પોતાના મુનિઓ સાથે વારાણસી – કાશી પહોંચી ગયા. ઘણો કઠિન વિહાર પૂરો થયો અને વારાણસી જવાનું તેમનું સ્વપ્ન પાર પડ્યું. વારાણસીમાં તેમણે શ્રી પાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં જઈ સ્તુતિ કરી. કાશીમાં ત્યારે પડ્રદર્શનોના સર્વોચ્ચ પંડિત અને નવ્યન્યાયના પ્રકાંડ જ્ઞાતા એવા એક એક ભટ્ટાચાર્ય હતા. એમની પાસે કહેવાય છે કે તે સમયે સાતસો શિષ્યો દર્શનોનો અભ્યાસ કરતા હતા. તેમની પાસે ન્યાય, મીમાંસ, સાંખ્ય, વૈશેષિક ઈત્યાદિ દર્શનોના અભ્યાસ કરવામાં આઠ-દસ વર્ષ લાગતાં, પરંતુ શ્રી યશોવિજ્યજીએ ઉત્સાહપૂર્વક ત્રણ વર્ષમાં સર્વ દર્શનોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી લીધો ભટ્ટાચાર્યને વિદ્યાભ્યાસ કરાવવા માટે તેમના તરફથી રોજ એક રૂપિયો આપવામાં આવતો. નવ્યન્યાયનો ગ્રંથ તત્ત્વચિંતામણિ પોતાના વિદ્યાગુરુ ભટ્ટાચાર્ય પાસે નબન્યાયના કઠિન વિષય “તત્ત્વચિંતામણિ નામના દુર્બોધ ગ્રંથનો અભ્યાસ શ્રી યશોવિજયજીએ કેવી રીતે કર્યો હતો તે વિશે એક દંતકથા પ્રચલિત છે. જ્યારે શ્રી નયવિજય મહારાજ પોતાના શિષ્યો સાથે કાશી પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે હિન્દુ પંડિતો જૈન સાધુઓને ભણાવવા ઇચ્છતા નહોતા. ત્યાગી જૈન સાધુઓ ગુરુદક્ષિણામાં કશું આપી શકશે કે કેમ એ પ્રશ્ન તો હતો જ, પરંતુ અન્ય ધર્મી વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસ શા માટે કરાવવો? – એવો પ્રશ્ન પણ હતો. એ વખતે ગુરુ શ્રી નવિજયજીની સંમતિ લઈને એવી યોજના ઘડવામાં આવી ૨૮૬ પર જૈન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy