SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદનો અનુભવ કરે છે. સ્વાધ્યાયથી પ્રાપ્ત આત્મા વિશુદ્ધિ દ્વારા નિષ્કર્મો તથા હેયોપાદેયમાં વિચક્ષણ બુદ્ધિથી માવજીવન રત્નત્રય માર્ગમાં પ્રવર્તે છે.] ભગવતીસૂત્રમાં સ્વાધ્યાયના પાંચ પ્રકાર બતાવવામાં આવ્યા છે : सज्जए पंचविहे पणत्ते, तं जहावायणा, पडिपुच्छणा, परियट्टणा, अणुप्पेहा घम्मकहा। સ્વાધ્યાયના પાંચ પ્રકાર કહ્યા છે – જેમ કે (૧) વાચના, (૨) પૃચ્છમા, (૩) પરિવર્તના (અથવા પરાવર્તના), (૪) અનુપ્રેક્ષા અને (૫) ધર્મકથા. આ પાંચ પ્રકારમાંથી વાચના, પૃચ્છના અને પરાવર્તના એ ત્રણ પ્રકારને દ્રવ્યગ્રુત કહેવામાં આવે છે અને અનુપ્રેક્ષાને ભાવશ્રુત કહેવામાં આવે છે. તત્ત્વનું રહસ્ય સમજાય પછી શ્રુતજ્ઞાનનું બીજાઓને દાન દેવા રૂપી પાંચમો પ્રકાર ધર્મકથા ફક્ત ગીતાર્થ સાધુઓ માટે હોય છે. આ પાંચ પ્રકારનું ક્રમશઃ અને વિધિપૂર્વક આસેવન કરવાથી સ્વાધ્યાય સારો થાય છે. માટે કહ્યું છે : यत्तु खलु वाचनादेरासेवनमत्र भवति विधिपूर्वम् । धर्मकथान्तं क्रमस्तत्स्वाध्यायो विनिर्दिष्ट४ ॥ એ સમજાવતાં જયશેખરસૂરિ ઉપદેશચિંતામણિમાં લખે છે : तत्रानधीतस्य सूत्रस्य ग्रहणं वाचना १, तत: संदेहे सति प्रच्छना पृच्छा २, निश्चितस्य सूत्रस्य अविस्मरणार्थ गुणनं परिवर्तना ३, सूत्रवदर्थसयापि चिंतनमनुप्रेक्षा ४, अभ्यस्तसूत्रार्थस्य परं प्रत्युपदेशदानं धर्मकथेति।। આ પાંચ પ્રકારમાં નહિ અભ્યાસ કરેલા સૂત્રનું જે ગ્રહણ કરવું તે વાચના કહેવાય છે. તેમાં સંદેહ પડતાં જે કંઈ પૂછવું તે પૃચ્છના કહેવાય છે. પછી નિશ્ચય કરેલા સૂત્રને ન ભૂલી જવા માટે ગણવું તે પરિવર્તના કહેવાય છે. સૂત્રની પેઠે અર્થનું પણ ચિંતવન કરવું તે અનુપ્રેક્ષા કહેવાય છે તથા અભ્યાસ કરેલા સૂત્ર તથા અર્થનો બીજાને ઉપદેશ આપવો તે ધર્મકથા કહેવાય છે. ‘ઉપદેશકલ્પવલ્લીમાં પણ સ્વાધ્યાયના પ્રકાર નીચે પ્રમાણે સમજાવ્યા છે : स्वाध्याय: पञ्चधा ज्ञेयो वाचना प्रच्छना तथा। परावृत्तिरनुप्रेक्षा, धर्मसम्बन्धिनी कथा। वाचना तु गुरुपान्तऽध्ययनं विनयेन यत् । प्रच्छनाऽधीतशास्त्रान्तर्गतसंशयनिर्णय: परावृत्तिः पुराधीतागमाच्यार४ पुनः पुनः । तद्विचारस्त्वनुप्रेक्षा, व्याख्या धर्मकथा भवेत् ॥ સ્વાધ્યાય - ૨૬૩ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy