SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ નાનવાળિનું મે વફા (સ્વાધ્યાયથી જીવ જ્ઞાનાવરણીય કર્મ ખપાવે છે.) સર્વ આચરણનું મૂળ સ્વાધ્યાયમાં રહેલું છે. જેમ જેમ સ્વાધ્યાય વધતો જાય અને શ્રદ્ધાપૂર્વક પરિણમતો જાય તેમ તેમ સ્વાધ્યાય કરનારનું આચરણ વિશેષ શુદ્ધ થતું જાય છે. એટલા માટે સ્વાધ્યાય-તપનો વિશિષ્ટ મહિમા દર્શાવતાં કહેવાયું છે કે તીર્થકરોએ કહેલા એવા છ અત્યંતર અને છ બાહ્ય એવા બાર પ્રકારના તપને વિષે સઝાય સમાન બીજું એકે તપકર્મ હમણાં નથી, અને ભવિષ્યમાં નહિ થાય. वारसविहम्मि वि ता सअिंतरबाहिरे कुसलदिठे । न वि अत्थि न वि य होही सज्झायसमं तवोकमं॥ સ્વાધ્યાયનું ફળ દર્શાવતાં પાતંજલયોગદર્શનમાં કહ્યું છે : સ્વાધ્યાવતા - સંપ્રયોra | (સ્વાધ્યાયથી ઈષ્ટદેવતાનો સાક્ષાત્કાર થાય છે.) વળી, સ્વાધ્યાયનો મહિમા દર્શાવતાં કહેવામાં આવ્યું છે : स्वाध्यायगुणने यत्न?, सदा कार्यों मनीषिभिः । ઢોટિવાના શ્રેષ્ઠ, સ્વાધ્યાયણ પરં ત .. [બુદ્ધિમાનોએ હંમેશાં સ્વાધ્યાય ગણવામાં યત્ન કરવો જોઈએ, કારણ કે કરોડોના દાન કરતાં પણ સ્વાધ્યાયનું ફળ શ્રેષ્ઠ છે.] સર્વાર્થસિદ્ધમાં સ્વાધ્યાય-તપનો મહિમા દર્શાવતાં કહ્યું છે : प्रज्ञातिशयः प्रशस्ताध्यवसोयपरमसंवेगत्सपोवृद्धि - तिचारविशुद्धिरित्येवमाधार्थः । 'પ્રજ્ઞામાં અતિશય લાવવા માટે, અધ્યવસાયને પ્રશસ્ત કરવાને માટે, પરમસંવેગને માટે, તપવૃદ્ધિ અને અતિચાર શુદ્ધિને માટે સ્વાધ્યાય-તપ આવશ્યક છે.] આરાધક મુમુક્ષુ આત્માઓ માટે સ્વાધ્યાયની આવશ્યકતા દર્શાવતાં “ભગવતી આરાધનામાં કહેવાયું છે : सज्झायं कुव्वंतो पंचिंदियसुंवडो तिगुत्तो य। हवदि य एयग्गमणो विणएण समाहिदो मिक्खु॥ जह जह सुदमोग्गाहदि अदिसयरसपसरमसुदपुव्व त। तह तह पल्हादिज्जदि नवनवसंवेगड्ढाए॥ आयापयविदण्हू सणणातवसंजम ढिच्चा । विहरदि विसुज्झामाणो जावाज्जीवं दु णिवकंवो ॥ જે સાધુ સ્વાધ્યાય કરે છે તે પાંચ ઇન્દ્રિયોનો સંવર કરે છે, મન વગેરે ગુપ્તિઓને પણ પાળવાવાળો હોય છે અને એકાગ્રચિત્ત બનીને વિનયકર સંયુક્ત થાય છે. જેમાં અતિશય રસનો પ્રસાર છે અને જે અમૃતપૂર્વ છે એવા શ્રુતમાં તે જેમ જેમ અવગાહના કરે છે તેમ તેમ અતિશય નવીન્ધર્મશ્રદ્ધાથી સંયુક્ત બનીને પરમ ૨૬૨ * જૈન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy