SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ જોઈએ. અપેક્ષાભેદથી, જુદા જુદા નયથી વિભિન્ન મત હોઈ શકે એમ વિચારવું જોઈએ. અંતે તો કેવલી ભગવંતો જે જાણે છે તે જ સાચું છે એમ સમજી પોતાનો મતાગ્રહ છોડી દેવો જોઈએ. (૨૧) અજ્ઞાન (અનાણ) પરીષહઃ પૂર્વનાં જ્ઞાનાવરણીય કર્મના ઉદયને કારણે કેટલાંક સાધુ-સાધ્વીઓને ઘણી મહેનતે પણ જ્ઞાન ચઢતું નથી; કઠિન તત્ત્વજ્ઞાન સમજાતું નથી. સાદી સરળ વસ્તુઓ યાદ રહેતી નથી. એવે વખતે પોતાના અજ્ઞાનને માટે મનમાં ખેદ આણવો નહિ કે સંક્લેશ કરવો નહિ. કોઈ મૂર્ખ’ કે ‘અજ્ઞાની' કહી સંબોધે તોપણ માઠું લગાડવું નહિ. પોતાનો જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે એમ સમજી, આયંબિલાદિ તપ કરી જ્ઞાનપ્રાપ્તિ માટે ઉદ્યમ કરવો જોઈએ. પોતાનું જીવન વ્યર્થ છે એમ સમજવું નહિ અને પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપી અષ્ટ પ્રવચન ધરાવનારાઓને પણ ભગવાને જ્ઞાની આરાધક કહ્યા છે તેમ ચિંતવી સંતોષ માનવો જોઈએ. (૨૨) દર્શન (હંસણ) પરીષહ : આ પરીષહને સમ્યકત્વ પરીષહ' પણ કહેવામાં આવે છે. આદર્શન પરીષહ’ તરીકે પણ તે ઓળખાય છે. સાધુભગવંતો વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરે, સંયમ પાળે, જ્ઞાનની આરાધના કરે ત્યાર પછી પોતાને લબ્ધિસિદ્ધિરૂપ કોઈ ફ્ળ ન મળે અથવા કોઈ દેવદેવીનાં દર્શન ન થાય એટલે કે પોતાની શ્રદ્ધાની કસોટીનો વખત આવે તેવા સમયે તર્કવિતર્ક ન કરતાં પોતાની શ્રદ્ધામાં દૃઢ રહે, પોતે જે કંઈ આરાધના કરી છે તેનું ફળ આ નહિ તો ઇતર જન્મમાં અવશ્ય મળવાનું જ છે અને કેવલી ભગવંતોએ જે પ્રકારે જોયું હશે તે પ્રકારે જ બનવાનું છે તેવી શ્રદ્ધા રાખે. ટૂંકમાં પોતાના સમ્યક્તને માટે સાચી શ્રદ્ધાને માટે જ્યારે પણ કસોટીનો પ્રસંગ આવે ત્યારે તે સહન કરી લઈને પોતાની શ્રદ્ધામાંથી ચલિત ન થવું જોઈએ. નવતત્ત્વ પ્રકરણમાં આ પ્રત્યેક પરીષહ કાળમાં કોણે કોણે ઉત્કૃષ્ટ રીતે સહન કર્યા હતા તે વિશે હસ્તિ-ભૂતિમુનિ, શર્મામુનિ, અરણિકમનિ, ભદ્રમુનિ, સ્થૂલિભદ્રમુનિ, ,સંયમસૂરિ, સોમદત્તમુનિ, બલભદ્રમુનિ, સનતકુમાર ચક્રવર્તી, સાગરાચાર્ય, માતૃષામારુષમુનિ, અષાઢાચાર્ય વગેરેનાં પ્રેરક દૃષ્ટાંતો આપવામાં આવ્યાં છે. આ બાવીસ પરીષહમાં કેટલાક પરીષહ પ્રાચીન પરસ્પર વિરુદ્ધ પ્રકારના અથવા પરસ્પર ભિન્ન છે. એટલે કે એક સમયે તેમાંથી કોઈ એક જ પરીષહ સહન કરવાનો આવે. ઉ.ત., ઠંડી અને ગરમી એ બે પરીષહમાંથી કોઈ પણ એક સમયે સાધુને એક જ પરીષહ સહન કરવાનો આવે. તેવી રીતે શય્યા, નિષદ્ધા અને ચર્યા Jain Education International ૨૩૪ * જૈન આચારદર્શન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy